News of Thursday, 7th July 2022
હવે રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને શિવસેનામાં ખળભળાટ: શિંદે જૂથે મુર્મુને સમર્થન જાહેર કર્યું: ઉદ્ધવ ઠાકરે શું કરશે:
શિવસેનાના ધારાસભ્ય અને પાર્ટીના બળવાખોર છાવણીના પ્રવક્તા દીપક કેસરકરે વિરોધ પક્ષોને એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને મત આપવાની અપીલ કરી છે.
બીજી તરફ, શિવસેનાના એક સાંસદે પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને દ્રૌપદી મુર્મુને સમર્થન જાહેર કરવા વિનંતી કરી હતી. તેના એક દિવસ પછી, બુધવારે પક્ષના બળવાખોર ધારાસભ્યએ દાવો કર્યો હતો કે શિવસેનાના ૧૮માંથી ૧૨ સાંસદો ટૂંક સમયમાં એકનાથ શિંદે જૂથમાં જોડાશે. જો આમ થશે તો ઉદ્ધવ ઠાકરે માટે સ્થિતિ ખૂબ જ પરેશાન કરનારી હશે.
(10:15 am IST)