News of Monday, 7th September 2020
વધુ ખરાબ થશે અર્થતંત્રની સ્થિતિઃ સરકાર વધુ પેકેજ લાવેઃ રઘુરામ રાજન
નવી દિલ્હીઃ ીરઝર્વ બેંકના પૂર્વ ગવર્નનર રઘુરામ રાજને કહ્યું છે કે, ભારતીય અર્થતંત્રને અમેરિકા અને ઇટાલીથી પણ વધુ ખરાબ ફટકો પડ્યો છે. અર્થતંત્રની સ્થિતિ હજુ ખરાબ થશે. સરકારે વધુ રાહત પેકેજ લાવવા જોઇએ. ઇકોનોમીને પણ એક દર્દીની જેમ જોઇ તેનો ઇલાજ કરવો જરૂરી છે. રાહત વગર લોકો ખાવાનું છોડી દેશે અને બાળકોને સ્કૂલમાંથી પાછા ખેંચી લેશે. અને તેઓને કામ કરવા કે ભીખ માંગવા મોકલી દેશે. લોન લેવા માટે સોનુ ગીરવે રાખી મુકશે. ઇએમઆઇ અને મકાનનું ભાડુ વધતુ જશે. આમ વાયરસ ઉપર કાબુ આવે તે પહેલા ઇકોનોમીનો ઇલાજ જરૂરી છે.
(10:44 am IST)