મુખ્ય સમાચાર
News of Monday, 7th September 2020

રાજકોટમાં કોરોનાનો આતંક : બપોરે 49 પોઝિટિવ કેસ બાદ સાંજે વધુ 47 કેસ સહીત નવા 96 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 215 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

રાજકોટ : રાજકોટમાં કોરોનો આતંક યથાવત છે આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 49 પોઝિટિવ કેસ બાદ સાંજે વધુ 47 કેસ નોંધાતા આજે સાંજ સુધીમાં કુલ 96 પોઝિટિવ કેસ નોંધાયા છે આજે વધુ 215 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે

  રાજકોટ મહાનગર પાલિકાની યાદી મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં કુલ ૪૭ (સુડતાલીસ) કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે. રાજકોટ શહેરના કુલ કેસની સંખ્યા ૩૮૬૨ થઇ છે જેમાંથી 1458 દર્દીઓ સારવાર હેઠળ છે

(7:11 pm IST)