છાવલા દુષ્કર્મ કેસમાં પુનર્વિચાર અરજી સુપ્રીમે ત્રણ જજોની બેંચની કરી રચના
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં છાવલા દુષ્કર્મ કેસમાં પુનર્વિચાર અરજી દાખલ કરી છે. આ અરજીમાં દિલ્હી પોલીસે છાવલા દુષ્કર્મ કેસના ત્રણે આરોપીઓને છોડી મુકવાનો વિરોધ કર્યો છે. સોલીસીટર જનરલ તુષાર મહેતાએ આ કેસમાં ફરીથી સુનાવણી પર વિચાર કરવા આગ્રહ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૨માં દિલ્હીના છાવલા વિસ્તારમાં એક મહિલા સાથે કથિત રૂપે દુષ્કર્મ અને હત્યાની ઘટનાને અંજામ અપાયો હતો. આ કેસમાં દિલ્હીની એક અદાલત દ્વારા મોતની સજા મેળવનાર ત્રણ આરોપીઓને છોડી મુકાયા હતા. આ આદેશને પડકારતી એક અરજી સુપ્રીમમાં કરવામાં આવી છે.
સોલીસીટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમકોર્ટ સમક્ષ આ કેસનો ઉલ્લેખ કરીને પુનર્વિચાર અરજી પર તાત્કાલીક સુનાવણી કરવા અને કેસની ખુલ્લી અદાલતમાં સુનાવણી કરવા વિનંતી કરી છે. સીજેઆઇ ચંદ્રવુડનું કહેવું છે કે તે આ અરજી પર વિચાર કરશે અને પોતાની અધ્યક્ષતામાં ત્રણ જજોની બેંચની રચના કરશે.
સોલીસીટર જનરલ તુષાર મહેતાનું કહેવુ છે કે છુટી ગયેલા આરોપીઓમાંથી એકે હાલમાં જ અન્ય કોઇ વ્યકિતનું ગળુ કાપી નાખ્યુ છે. તેમનું કહેવુ છે કે આરોપી રીઢો ગુનેગાર છે.