મુખ્ય સમાચાર
News of Saturday, 8th May 2021

નિવૃત્ત જજ ધર્મવીર શર્માનું નિધન

શ્રીરામ જન્મભૂમિ વિવાદ પર ફૈંસલો સંભળાવનાર

નવી દિલ્હી તા. ૮ : અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ વિવાદ પર ફૈસલો સંભળાવનાર અલ્હાબાદ હાઇકોર્ટની લખનઉ પીઠમાં સામેલ સેવા નિવૃત્ત ન્યાયમુર્તિ ધર્મવીર શર્માનું દુઃખદ અવસાન થતા ઘેરા શોકની લાગણી પ્રસરી છે. બુલંદશહેરમાં દાનપુર નગરના હવેલી  પરિવારમાં જન્મેલા ધર્મવીર શર્માની વિદાયથી ગામમાં શોકનું મોજુ છવાયુ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથજીએ પણ શોક સંદેશો પાઠવી દુઃખની લાગણી વ્યકત કરી હતી. ૭૪ વર્ષીય સેવા નિવૃત્ત ન્યાયમુર્તિ ધર્મવીર શર્મા છેલ્લે નોએડા સેકટર ૧૨ ખાતે રહેતા હતા. તેમના પરિવારજન અંકિત ગૌતમે જણાવ્યા મુજબ ગુરૂવારે રાત્રે તેઓ સંપૂર્ણ સ્વસ્થ જણાતા હતા. શુક્રવારે સવારે અચાનક તબીયત લથડતા નોએડાની એક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જયાં બપોરના સમયે તેઓએ અંતિમ શ્વાસ લઇ લીધા હતા. ગઢમુકતેશ્વરમાં ગંગાઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવેલ.

(4:13 pm IST)