મુખ્ય સમાચાર
News of Tuesday, 8th September 2020

સી.આર.પાટીલનો રેપીડ ટેસ્ટ નેગેટીવ : RTPCR ટેસ્ટનો રીપોર્ટ સાંજે આવશે : કોરોના કન્ફર્મ નથી : એપોલોમાં દાખલ છે

રાજકોટ : ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને કોરોના પોઝીટીવ આવ્યાના અહેવાલો સર્વત્ર પ્રસરી ગયા છે. ત્યારે તેમના અંગત વર્તુળોએ અકિલાને જણાવેલ કે સી.આર. પાટીલનો આજે રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો તે નેગેટીવ આવ્યો છે જયારે કોરોના અંગેનો RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો છે જેનો રીપોર્ટ મોડી સાંજે આવશે, આમ હજુ સુધી શ્રી પાટીલને કોરોના પોઝીટીવ હોવાનું સત્તાવાર સમર્થન અપાયુ નથી. જો કે તેમને અમદાવાદની એપોલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

(5:31 pm IST)