21 સપ્ટેમ્બરથી 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ફરી ખુલશે: આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા જાહેર
શાળા ખોલવાનું સ્વૈચ્છીક ધોરણે કરાશે : વિદ્યાર્થીઓની શાળા મુલાકાત લેવા તેના માતાપિતાનો મંજૂરીપત્ર રજૂ કરવાનો રહેશે
નવીદિલ્હી : સ્કૂલ ફરીથી ખોલવા માર્ગદર્શિકા જાહેર કરાઈ: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 21 સપ્ટેમ્બર 2020 થી શાળાઓ ફરીથી ખોલવા માટે વિશેષ માર્ગદર્શિકા જારી કરી છે.
આ મહિનાની શરૂઆતમાં જ બહાર પાડવામાં આવેલા અનલોક 4ની માર્ગદર્શિકાને અનુસરીને, વર્ગ 9 થી ધોરણ 12 ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં સ્વૈચ્છીક હાજર રહેવા અથવા મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને મૂંઝવણ, શંકાઓને દૂર કરવા અને તેમના શિક્ષકો સાથે શૈક્ષણિક બાબતો પર ચર્ચા કરવા સ્વૈચ્છિક ધોરણે શાળાઓમાં હાજરી આપી શકશે.
આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતવાર માર્ગદર્શિકા મુજબ, સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ફરીથી ખોલવા માટેના સામાન્ય સાવચેતીના પગલા લેવાના રહેશે
શાળાઓ ફરીથી ખોલવાનું કામ સ્વૈચ્છિક ધોરણે કરવામાં આવશે અને વિદ્યાર્થીઓએ આ સમયગાળા દરમિયાન શાળાઓની મુલાકાત લેવા માટે તેમના માતાપિતા દ્વારા સહી કરેલી મંજૂરીપત્ર રજૂ કરવાનો રહેશે