News of Wednesday, 9th September 2020
મહારાષ્ટ્રમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : છેલ્લા બે દિવસથી 20 હજારથી વધુ પોઝીટીવ કેસ
કુલ કેસની સંખ્યા 9,43,772 થઇ : મૃત્યુઆંક 27.403 થયો
મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે છેલ્લા બે દિવસથી 20 હજારથી વધુ કેસો નોંધાઈ રહ્યાં છે આ સાથે રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો નવ લાખ 43 હજાર 772નો થઇ ગયો હતો.
મંગળવારે કોરોનાથી 380 વ્યક્તિનાં મરણ થયાં હતાં. એ સાથે મરણનો આંકડો 27 હજાર 403નો થયો હતો. રાજ્ય સરકાર દ્વારા કોરોનાને નાથવાના કરાઇ રહેલા પ્રયાસો સફળ થતા લાગતા નથી. રાજ્યમાં હાલ કોરોનાના સક્રિય હોય એવા કેસનો આંકડો 2 લાખ 43 હજાર 446નો હતો.
(12:20 pm IST)