News of Tuesday, 11th January 2022
હરિદ્વારમાં મકર સંક્રાંતિના અવસરે ગંગા સ્નાન પર પ્રતિબંધ : કોરોનાને ફેલાતો રોકવા નિર્ણંય
મકર સંક્રાતિએ ગંગા સ્નાન કરવાનો અનેરો મહિમા
ઉત્તરાખંડમાં કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે જિલ્લા પ્રશાસને મકર સંક્રાતિએ ગંગા સ્નાન પર પ્રતિબંધ મુક્યો છે, મકર સંક્રાતિએ ગંગા સ્નાન કરવાનો અનેરો મહિમા છે આ અવસરે હજારો શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન કરે છે આ દિવસે સૂર્ય ઉત્તરાયણ જાય છે અને મકર રાશિમાં પ્રવેશ કરે છે. સાથે જ મકરસંક્રાંતિ પર સ્નાન કરવાનો મહિમા છે
(11:19 pm IST)