૨૮ વર્ષની દર્દી મહિલા બાથરૃમમાં કપડા બદલતી હતી ત્યારે સફાઈ કામદાર સાહિલે બળાત્કાર ગુજાર્યો : તેને પૂછવામાં આવ્યું તો નફ્ફટ થઈને કહ્યું કે 'થઈ ગયું, તો હવે શું કરશુ?'
મિર્ઝાપુરથી માનવતાને શરમાવે તેવી તસવીર સામે આવી છે. અહીંની એક હોસ્પિટલમાં દાખલ ૨૮ વર્ષની દર્દી મહિલાએ સફાઈ કામદાર ઉપર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. મહિલાએ હોસ્પિટલમાં કામ કરતા સફાઈ કામદાર પર આરોપ લગાવ્યો હતો કે વોર્ડના બાથરૃમમાં કપડાં બદલતી વખતે સફાઈ કામદારે તેની સાથે બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો.
આ યુવતીને ડિવિઝનલ હોસ્પિટલના મહિલા વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. રાત્રે જ્યારે તે બાથરૃમ ગઈ તો સફાઈ કામદારે તેની સાથે બળાત્કાર કર્યો. આનાથી તેની હાલત ખરાબ થઈ ગઈ. ૮ મેના રોજ તેણીને જિલ્લા મહિલા હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. પરંતુ તે તેના ઘરે ગઈ હતી. ત્યાં તેણે તેની માતાને બધી વાત કહી. બદનામીના ડરથી માતાએ કોઈને કહેવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે પતિ આવ્યો ત્યારે તેણે તેને આખી વાત કહી.
૯ મેના રોજ જ્યારે તેણીની તબિયત નાજુક બની ત્યારે પતિ તેને જિલ્લા મહિલા હોસ્પિટલમાં લઈ ગયો. આ દરમિયાન પતિએ આરોપી સફાઈ કામદારને બોલાવ્યો અને પત્નીના બળાત્કાર વિશે પૂછ્યું, તો તેણે કહ્યું, જો થઈ ગયું તો હવે શું કરી શકાય ? આના પર પતિએ વોઇસ રેર્કોડિંગ કર્યું અને પોલીસને જાણ કરી. મહિલાના નિવેદન બાદ પોલીસે આરોપી કોન્ટ્રાકટ સફાઈ કામદાર સાહિલ વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધ્યો છે. આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો છે.