News of Wednesday, 11th May 2022
અમરનાથ યાત્રાની જાહેરાત બાદ દક્ષિણ કાશ્મીર આતંકવાદીઓનું હોટસ્પોટ બની ગયું
(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ તા.૧૧ઃ અમરનાથ યાત્રા શરૂ કરવાની જાહેરાત બાદ દક્ષિણ કાશ્મીર આતંકી અથડામણનું હોટસ્પોટ બની ગયું છે અત્યાર સુધીમાં ૮૦ જેટલા આતંકવાદીઓને મારી નાંખવામાં આવ્યા છે જેમાં સૌથી વધુ પપ જેટલા આતંકી દક્ષિણ કાશ્મીરના ૪ જિલ્લામાં મારી નાંખવામાં આવ્યા છે.
કાશ્મીર રેન્જના આઇ.જી.વિજયકુમારે જણાવ્યું કે, આતંકીઓનું નિશાન અમરનાથ યાત્રા છે. ત્રણ મહિનાથી આનંતનાગ, પુલવામા, ફુલગામ, શોપિયા વિસ્તારમાં સુરક્ષા દળોની ટીમોઍ ‘‘શોધો અને મારી નાંખો’’નું અભિયાન ચલાવ્યું છે.
(4:34 pm IST)