દેશમાં કોરોનાના સતત ઘટતા કેસ : નવા 91.211 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.33. 598 દર્દીઓ રિકવર થયા : વધુ 3401 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.63.097 થયો :એક્ટિવ કેસ ઘટીને 11.19.928 થયા : કુલ કેસની સંખ્યા 2.92.73.338 થઇ
સૌથી વધુ તામિલનાડુમાં 16.813 કેસ, કેરળમાં 14.424 કેસ,મહારાષ્ટ્રમાં 12.207 કેસ, કર્ણાટકમાં 11.042 કેસ, આંધ્રપ્રદેશમાં 8110 કેસ,ઓરિસ્સામાં 6097 કેસ, પશ્ચિમ બંગાળમાં 5274 કેસ,આસામમાં 3756 કેસ નોંધાયા
નવી દિલ્હી : દેશમાં માં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે આજે દેશમાં કોરોનાનાં નવા 91.211 કેસ નોંધાયા છે. જ્યારે 1.33.598 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.
દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 91.211 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 3401 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,63.097 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 1.33.598 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 2,92.73.338 થઇ છે એક્ટિવ સંખ્યા ઘટીને 11.19.928 થઇ છે છેલ્લા 24 કલાકમાં 1.33.598 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 2,77.78.894 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ તામિલનાડુમાં 16.813 કેસ, કેરળમાં 14.424 કેસ,મહારાષ્ટ્રમાં 12.207 કેસ, કર્ણાટકમાં 11.042 કેસ, આંધ્રપ્રદેશમાં 8110 કેસ,ઓરિસ્સામાં 6097 કેસ, પશ્ચિમ બંગાળમાં 5274 કેસ,આસામમાં 3756 કેસ નોંધાયા છે