મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

કોવિદ -19 થી થયેલા મોતનું સાચું રિપોર્ટિંગ આપો : સાચા રીપોર્ટિંગના અભાવે કોવિદ -19 થી મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને સરકારી રાહત મળી શકતી નથી : મદ્રાસ હાઇકોર્ટમાં કરાયેલી જાહેર હિતની અરજીના અનુસંધાને નામદાર કોર્ટે તામિલનાડુ રાજ્ય સરકાર પાસે અહેવાલ માંગ્યો

ચેન્નાઇ : કોવિદ -19  થી મૃત્યુ પામેલા લોકોના  સાચા આંકડા  બહાર પડતા નથી. જેના પરિણામે  આ રોગથી મૃત્યુ પામેલ વ્યક્તિના  પરિવારને સરકારી રાહત મળી શકતી નથી . તેવી જાહેર હિતની અરજી મદ્રાસ હાઇકોર્ટમાં થતા નામદાર કોર્ટે  તામિલનાડુ રાજ્ય સરકારને કોવિદ -19 થી થયેલા મોતનું સાચું  રિપોર્ટિંગ બે સપ્તાહમાં રજૂ કરવા અનુરોધ કર્યો છે.

મુખ્ય ન્યાયાધીશ સંજીબ બેનરજી અને ન્યાયાધીશ સેન્થિલકુમાર રામામૂર્તિની ખંડપીઠે આ મુદ્દાને મહત્વનો ગણાવ્યો હતો. જેને  ધ્યાને લઈને સરકારને વિનંતી કરી છે કે બે અઠવાડિયામાં  પ્રાથમિક અહેવાલ રજૂ કરવામાં આવે.

નામદાર કોર્ટે રાજ્ય સરકારને મોકલેલી નોટિસમાં જણાવ્યા મુજબ સમગ્ર  દેશમાં આ ફરિયાદ જોવા મળે છે કે રોગચાળાને કારણે થતાં તમામ મૃત્યુ યોગ્ય રીતે નોંધાયા નથી.

COVID-19 ના મૃત્યુનું સચોટ રિપોર્ટિંગ ભવિષ્યના અધ્યયનમાં મદદ કરશે તે ઉપરાંત, કેટલાક કિસ્સાઓમાં તાત્કાલિક ચિંતા એ છે કે કોવિદ -19 ને કારણે મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારોને સરકારી રાહત મળી શકશે નહીં . તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(2:06 pm IST)