News of Friday, 11th June 2021
સમાજવાદી પાર્ટીના મુખિયા અખિલેશ યાદવનો મોટો ધડાકો: મુખ્યમંત્રીપદ ટકાવી રાખવા યોગી ફાંફા મારી રહ્યા છે
ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે ખરાબ દિવસો આવી પહોંચ્યા છે. પોતાની મુખ્યમંત્રી પદની ગાદી ટકાવી રાખવા માટે તેઓ દર-બદર ભટકી રહ્યા છે..! દરમ્યાન એક અગ્રણી ન્યુઝસેવા જણાવે છે કે ગુજરાત કેડરના પૂર્વ આઇએએસ અધિકારી એ કે શર્મા ઉત્તર પ્રદેશમાં નાયબ મુખ્યમંત્રી બની રહ્યા છે અને યોગી આદિત્યનાથના પ્રધાનમંડળની પુનઃરચના થઈ રહી છે. આમ યોગી આદિત્યનાથની સરકાર હેમખેમ રહેશે તેવા નિર્દેશો પણ મળે છે.
(8:14 pm IST)