પ્રિયંકાએ માતાજીની સ્તુતિથી મંત્રમુગ્ધ કર્યા
મોદીના ગઢમાં દુર્ગા સ્તુતિ, હર-હર મહાદેવનો કર્યો જયઘોષ : કુરાનની આયાતો પણ વાંચી
નવી દિલ્હી તા. ૧૧ : ઉતરપ્રદેશની ધારાસભા ચૂંટણીમાં ભાજપ ગમે તે સમયે તેના હિન્દુત્વના શ સ્ત્રનો ઉપયોગ કરશે તે નિશ્યિત અને તેની સામે હવે કોંગ્રેસના પુર્વ પ્રમુખ રાહુલ ગાંધી તથા દિલ્હીના મુખ્યમંત્રી તથા આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ હિન્દુત્વ અને રાષ્ટ્રવાદનો વળતો ડોઝ આપી રહ્યા છે.
આ સમયે કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતક્ષેત્ર વારાણસીમાં કિસાન ન્યાય રેલીને સંબોધન કરતા સમયે નવરાત્રીના ચોથા દિવસનો ઉલ્લેખ કરતા તેમના પ્રવચનનો પ્રારંભ માતાજીની સ્તુતિ કરીને સૌને ચોકાવી દીધા હતા તેઓએ શ્નજ્રક્ન દેવી સર્વ ભૂતેષુ' સ્તુતિ પુરી બોલીને શ્રોતાઓને તરબોળ કરી દીધા હતા.પ્રિયંકાએ આ પુરી સ્તુતિ કોઈ વાંચન વગર ગાઈ હતી અને તે પણ ભાવવાહી રીતે... બાદમાં શ્રોતાઓની પાસે ત્રણ વખત 'જય માતાજી' બોલાવ્યા હતા અને બાદમાં તેમના પ્રવચનનો પ્રારંભ કર્યો હતો. આમ પ્રિયંકાએ ભાજપને તેના જ શસ્ત્રથી મહાત કરવાનો પ્રયાસ શરુ કરી દીધો છે.