કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં સુધારો :હાથ-પગમાં જોવા મળી હિલચાલ
રાજુ શ્રીવાસ્તવને નળી દ્વારા પ્રવાહી દૂધ આપવાનું શરૂ
મુંબઈ :કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના જીવન માટે પ્રાર્થના કરી રહેલા ચાહકો માટે રાહતના સમાચાર છે. રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં થોડો સુધારો થયો છે. રાજુ હવે સારવારને પ્રતિસાદ આપી રહ્યો છે અને તેને નળી દ્વારા પ્રવાહી દૂધ આપવાનું શરૂ કર્યું છે. રાજુ શ્રીવાસ્તવની જાડી મલ્ટીપર્પઝ સેન્ટ્રલ ફીડ પાઇપ હવે પાતળી સેન્ટ્રલ પાઇપ દ્વારા બદલવામાં આવી છે. જો કે ડોકટરોના મતે કોમેડિયનને હોશમાં આવતા થોડા દિવસો લાગી શકે છે.
સારવારને ટેકો આપવા માટે પહેલા દિવસે રાજુને એનેસ્થેસિયા પણ આપવામાં આવ્યો હતો, જેનો ડોઝ હવે ઓછો કરવામાં આવ્યો છે. એટલે કે જરૂરી એનેસ્થેસિયા હોવા છતાં મગજના જરૂરી પ્રતિભાવ માટે ન્યુરો ટ્રીટમેન્ટ ચાલી રહી છે. ગઈ કાલથી લઈને આજ સુધીમાં હાથ, પગ અને ગળામાં થોડી હિલચાલ જોવા મળી છે, પરંતુ ડોકટરોનું કહેવું છે કે આંખોમાં હલનચલન સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવશે.
10 ઓગસ્ટના રોજ રાજુ શ્રીવાસ્તવ જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો. જે બાદ કોમેડિયનને તુરંત દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કોમેડિયનની હાલત નાજુક હતી ત્યારથી તેને દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તાજેતરમાં એવું જાણવા મળ્યું છે કે રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે.