દિલ્હી રમખાણોની આડમાં ઈરાદા પૂર્વકનો હુમલો : દિલ્હી કોર્ટે 4 આરોપીઓ સામે હત્યાના આરોપો ઘડ્યા : ગેરકાનૂની ટોળા દ્વારા પીડિત પર હુમલો કરવાનું કાવતરું હોવાનું મંતવ્ય વ્યક્ત કર્યું
ન્યુદિલ્હી : દિલ્હી રમખાણોની આડમાં ઈરાદા પૂર્વકનો હુમલો કરાયો છે તેવા નિષ્કર્ષ સાથે દિલ્હીની એક અદાલતે આ ઘટનામાં ચાર આરોપીઓ સામે હત્યા, રમખાણો અને ગુનાહિત કાવતરાના આરોપો ઘડ્યા છે, નામદાર કોર્ટે ગયા વર્ષે ઉત્તર-પૂર્વ દિલ્હીના રમખાણો દરમિયાન એક વ્યક્તિની કથિત હત્યાને આયોજિત હુમલો તરીકે ગણાવ્યો હતો.
અનવર હુસૈન, કાસિમ, શાહરૂખ અને ખાલિદ અન્સારી પર 25 ફેબ્રુઆરી, 2020 ના રોજ આંબેડકર કોલેજ પાસે દીપક નામના વ્યક્તિને કથિત રીતે નિર્દયતાથી માર મારવાનો આરોપ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર વધુ પડતું રક્તસ્ત્રાવ અને આઘાતને કારણે તેનું મૃત્યુ થયું હતું
વધારાના સત્ર ન્યાયાધીશ અમિતાભ રાવતે આરોપીઓ સામે જરૂરી કલમો હેઠળ આરોપો ઘડ્યા અને તેમના વકીલોની હાજરીમાં તેમને સ્થાનિક ભાષામાં સમજાવ્યા, જેના પર તેઓએ (આરોપીઓએ) દોષિત ન હોવાનું કબૂલ્યું અને આ મામલે ટ્રાયલનો દાવો કર્યો. ન્યાયાધીશે અવલોકન કર્યું હતું કે તેમની ગતિશીલતા અને ઇરાદાની રીત તેમના વર્તન પરથી દેખાય છે, આ ગેરકાયદેસર એસેમ્બલી મૃતક દીપકની હત્યા અને રમખાણો જેવા અન્ય ગુના કરવાના હેતુ માટે હતી.
તેમણે 9 નવેમ્બરે એક આદેશમાં કહ્યું હતું કે ગેરકાનૂની ટોળામાં પીડિત પર હુમલો કરવાનું કાવતરું પણ વ્યાપક હોવાનું જણાય છે. ન્યાયાધીશે કહ્યું કે આ કેસમાં સૌથી મહત્વપૂર્ણ સાક્ષી સુનિલ કુમાર હતા, જે સમગ્ર ઘટનાના પ્રત્યક્ષ સાક્ષી હતા અને તેમણે આરોપી વ્યક્તિઓ સહિત સશસ્ત્ર મુસ્લિમોના ટોળા દ્વારા મૃતક દીપકને કેવી રીતે માર્યો તેની સંપૂર્ણ તસવીર આપી હતી. તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.