ગેંગ રેપ કેસમાં યુપીના પૂર્વ કેબિનેટ પ્રધાન ગાયત્રી પ્રજાપતિને આજીવન કેદની સજા: ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ સહિત ત્રણને આજીવન કેદ
એમપી-એમએલએ કોર્ટે શુક્રવારે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ સહિત ત્રણને સામૂહિક બળાત્કારના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. ગાયત્રીના ગનર અને પીઆરઓ સહિત ચારને બે દિવસ પહેલા આ જ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટના આદેશ પર, ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ અને અન્ય છ આરોપીઓ વિરુદ્ધ ૨૦૧૭માં પોલીસ સ્ટેશન ગૌતમપલ્લીમાં ગેંગ રેપ, જાનથી મારી નાખવાની ધમકી આપવા અને પોસ્કો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે બળાત્કાર પીડિતાની અરજી પર આ આદેશ આપ્યો હતો. બળાત્કાર પીડિતાએ ગાયત્રી પ્રજાપતિ અને તેના સહયોગીઓ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો અને સગીર પુત્રી પર પણ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. ગાયત્રી સહિત તમામ આરોપીઓની માર્ચ ૨૦૧૭માં ધરપકડ કરવામાં આવી હતી અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
ગાયત્રી પ્રસાદ પ્રજાપતિ સમાજવાદી પક્ષના અખિલેશ યાદવના પ્રધાનમંડળમાં કેબિનેટ પ્રધાન રહી ચૂક્યા છે