મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં ગ્યારબતી જંગલી વિસ્તારના ધનોરામાં પોલીસ સાથે અથડામણમાં ચાર નક્સલી ઠાર
છુપાયેલા નક્સલીઓએ પોલીસ કર્મીઓ પર ફાયરિંગ શરૂ કરતા જવાબમાં પોલીસે પણ ગોળીબાર શરૂ કર્યો
મુંબઈ : મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ સાથે અથડામણમાં ચાર નક્સલીને ઠાર કરાયા છે તેમ એક સિનિયર પોલીસ અધિકારીએ જાણકારી આપી છે.મુંબઈથી 920 કી,મી, દૂર આ અથડામણ ગઢચિરોલી સ્થિત ગ્યારબતી જંગલી વિસ્તારના ધનોરામાં થઇ હતી.
નક્સલીઓના અહી હોવાની સૂચના મળતા પોલીસ ટીમ અહી સર્ચ ઓપરેશન માટે ગઇ હતી. આ દરમિયાન ત્યા છુપાયેલા નક્સલીઓએ પોલીસ કર્મીઓ પર ફાયરિંગ શરૂ કર્યુ હતુ. જવાબમાં પોલીસે પણ ગોળીબાર શરૂ કર્યો હતો. આ ગોળીબારમાં ચાર નક્સલીઓના મોત થયા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યુ કે એન્કાઉન્ટર ચાલુ છે.
મહત્વપૂર્ણ છે કે દેશભરમાં નક્સલીઓ વિરૂદ્ધ અભિયાન ઝડપી બનાવવામાં આવ્યુ છે. આ યાદીમાં શુક્રવારે ઝારખંડમાં નક્સલીઓની ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ છત્તીસગઢમાં કેટલાક નક્સલીઓએ તાજેતરમાં સરેન્ડર કર્યુ હતુ.