યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને કોરોના
આઇસોલેટ થયા : ટ્વિટ કરીને આપી જાણકારી
નવી દિલ્હી તા. ૧૪ : ભારતમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે મોટા મોટા રાજનેતાઓ હવે કોરોના વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. આજે ઉત્તરપ્રદેશના હાલના મુખ્યમંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી બંને કોરોના પોઝિટિવ થયા છે.
આજે સીએમ યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને જાણકારી આપી કે શરૂઆત લક્ષણો દેખાતા કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યો હતો જે બાદ રિપોર્ટ પોઝિટિવ આવી છે. હું સેલ્ફ આઇસોલેશનમાં છું અને ડોકટરોના નિર્દેશના પાલન કરી રહ્યો છું તથા બધા જ કામ વર્ચ્યુઅલી કરી રહ્યો છું.
સીએમ યોગીએ કહ્યું કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે બધા જ પોતાનો ટેસ્ટ કરાવી લે અને સાવધાની રાખે. રાજયની સરકારની બધી જ ગતિવિધિઓ સામાન્ય રૂપથી ચાલુ જ છે.
નોંધનીય છે કે આજે જ રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. અખિલેશ યાદવ હાલ ઘરે જ આઇસોલેશનમાં છે અને સારવાર લઈ રહ્યા છે.