News of Friday, 14th May 2021
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી: કોરોનાને કારણે અનાથ બનેલા બાળકોની પરવરીશ અને શિક્ષણનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે
દેશના પાટનગરના મુખ્ય પ્રધાન કેજરીવાલે કહ્યું છે કે, કોરોનાને કારણે જીવ ગુમાવનારા માતા-પિતાના બાળકોના શિક્ષણ અને પરવરીશનો ખર્ચ દિલ્હી સરકાર સંભાળશે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં ઘણા બાળકોના માતા-પિતાનું કોરોનાને કારણે અકાળે અવસાન થયું હતું. હવે આવા અનાથ બાળકોના ઉછેર અને અભ્યાસ માટેનો ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે. દિલ્હીના સીએમએ આ સંદર્ભમાં એક ટ્વીટ કર્યું છે. આ સંદર્ભે સીએમએ ટ્વિટ કરીને લખ્યું છે કે, જે ઘરમાં યુવાનોને ગુમાવેલા હોય તેવા વડીલોની પણ સંભાળ દિલ્હી સરકાર લેશે.
(7:51 pm IST)