સેન્સેક્સ ઊંચા મથાળે બંધ, રિલાયન્સના શેરમાં ઉછાળો
એફએમસીજી સેક્ટરમાં રોકાણકારોની ધૂમ ખરીદી : આઈટીસીમાં પણ તેજી : સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં મેટલ, ઓટો, ફાર્મા કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી
મુંબઈ, તા. ૧૪ : શુક્રવારે આઈટીસી, એચયુએલ, નેસ્લે જેવી એફએમસીજી કંપનીના શેરમાં ખરીદીને લીધે બીએસઈ સેન્સેક્સ શુક્રવારે લીલા નિશાન પર બંધ રહ્યો હતો. બીએસઈ સેન્સેક્સ ૪૧.૭૫ અંક એટલે કે ૦.૦૯ ટકા વધીને ૪૮,૭૩૨.૫૫ ના સ્તરે બંધ રહ્યો હતો. બીજી તરફ, એનએસઈ નિફ્ટી ૧૮.૭૦ પોઇન્ટ એટલે કે ૦.૧૩ ટકા તૂટીને ૧૪,૬૭૭.૮૦ ના સ્તર પર બંધ થયો છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં મેટલ, ઓટો અને ફાર્મા કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. એનએસઈ નિફ્ટી પર કોલ ઈન્ડિયા, ટાટા મોટર્સ, હિંડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ અને ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. તે જ સમયે, એશિયન પેઇન્ટ્સ, યુપીએલ, આઇટીસી, નેસ્લે અને એલ એન્ડ ટીના શેરમાં તીવ્ર તેજી સાથે બંધ રહ્યા.
સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો ફક્ત એફએમસીજી સેક્ટર ગ્રીન માર્ક સાથે બંધ રહ્યો છે. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ચાર ટકાનો ઉછાળો જોવાયો હતો.
સેન્સેક્સમાં ઈન્ડસઈન્ડ બેક્નના શેરમાં સૌથી વધુ ૨.૮૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સિવાય એમએન્ડએમ શેરોમાં ૨.૪૫ ટકા, ડોક્ટર રેડ્ડીના શેરમાં બે ટકા, એસબીઆઈના શેરમાં બે ટકા, એનટીપીસીના શેરમાં ૧.૮૧ ટકા, ઓએનજીસીના શેરમાં ૧.૭૮ ટકા, સન ફાર્માના શેરમાં ૧.૬૪ ટકાના ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય ટીસીએસ, મારુતિ, ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, બજાજ ઓટો, ઇન્ફોસીસ, એચડીએફસી, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઇનાન્સ, અલ્ટ્રેટેક સિમેન્ટ અને ભારતી એરટેલના શેર લાલ નિશાન સાથે બંધ થયા છે.
બીજી તરફ, એશિયન પેઇન્ટ્સના શેરમાં ૮.૫૧ ટકાનો વધારો થયો છે. આઇટીસી, નેસ્લે ઈન્ડિયા, લાર્સન એન્ડ ટુબ્રો, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, પાવરગ્રિડ, રિલાયન્સ, એચસીએલ ટેક, આઈસીઆઈસીઆઈ બેંક અને ટાઇટનના શેર લીલા નિશાન સાથે બંધ થયા છે.
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસીસના હેડ (રિસર્ચ) વિનોદ નાયરે જણાવ્યું હતું કે શુક્રવારે બજારમાં અસ્થિર બિઝનેસમાં અનેક ઉતાર-ચડાવ જોવા મળ્યા. તેમણે કહ્યું કે કન્ઝ્યુમર અને કેપિટલ ગુડ્ઝ સેક્ટરની કંપનીઓમાં તેજી જોવા મળી હતી, પરંતુ બીજી તરફ મેટલ અને ઓટો શેરોમાં નરમાઈ જોવા મળી હતી. ફેડના સત્તાવાર નિવેદન બાદ વૈશ્વિક બજાર સકારાત્મક બન્યું છે. ફેડ અધિકારીએ જણાવ્યું હતું કે તેઓ લાંબા ગાળાના ફુગાવાને લઈને બહુ ચિંતિત નથી.