મુખ્ય સમાચાર
News of Saturday, 14th May 2022

દિલ્હીમાં આગ લાગવાની ઘટના ખુબ જ દુઃખદ :અધિકારીઓની સાથે સંપર્કમાં: તાત્કાલિક પહોંચી રહી છે NDRF: અમિતભાઈ શાહ

લોકોને ત્યાંથી કાઢવા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવા અમારી પ્રાથમિકતા: કેન્દ્રીય ગૃહમંત્રી

નવી દિલ્હી : પશ્ચિમ દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે શુક્રવારે સાંજે એક બિલ્ડિંગમાં આગ લાગવાથી અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. તમામ મૃતદેહને બહાર કઢાયા છે.

 દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે કહ્યું હતું કે દિલ્હીમાં મુંડકામાં આગ લાગવાની ઘટના ખુબજ દુઃખદ છે. હું સંબંધિત અધિકારી સાથે સતત સંપર્કમાં છું, પ્રશાસન રાહત અને બચાવ કામગીરીમાં લાગ્યું છે. NDRF પણ ત્યાં તાત્કાલિક પહોંચી રહી છે. લોકોને ત્યાંથી કાઢવા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવા અમારી પ્રાથમિકતા છે.

(10:05 am IST)