મુખ્ય સમાચાર
News of Saturday, 14th May 2022

૨૪ કલાકમાં નોંધાયા ૨૮૦૦થી વધુ કેસઃ ૧૧ લોકોના મોત

નવી દિલ્હી, તા.૧૪: ભારતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૮૫૮ નવા કેસ નોંધાયા અને ૧૧ લોકોના મોત થયા છે. જયારે ૩૩૫૫ સંક્રમિતો સાજા થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૦.૫૯ ટકા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એકિટવ કેસની સંખ્યા ઘટીને ૧૮,૦૯૬ થઈ છે. જયારે કુલ મૃત્યુઆંક ૫,૨૪,૨૦૧ પર પહોંચ્યો છે. દેશમાં ૪,૨૫,૭૬,૮૧૫ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧૯૧,૧૫,૯૦,૩૭૦ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે ૧૫,૦૪,૭૩૪ ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં ૧૬ જાન્યુઆરી, ૨૦૨૧થી રસીકરણ શરૃ થયું હતું.(૨૩.૮)

 

(12:04 pm IST)