News of Saturday, 14th May 2022
મધ્યપ્રદેશ હત્યા કાંડ બાદ સરકાર આકરા મિજાજમાં : આઈજી કક્ષાના અધિકારીને હટાવ્યા : શહીદોને ૧-૧ કરોડની સહાયતા
મધ્યપ્રદેશના ગુનાના જંગલોમાં ૩ પોલીસ કર્મચારીઓ ઉપર ગોળીઓ વરસાવી શિકારીઓએ કરેલી હત્યા પછી મધ્યપ્રદેશની ભાજપ સરકાર હરકતમાં આવી ગઈ છે : મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે હાઈલેવલ મીટીંગ પછી તાત્કાલીક અસરથી ગ્વાલીયરના રેન્જ આઈજી અનિલ શર્માને હટાવી દીધા છે : ગૃહમંત્રી મિશ્રાએ કહેલ કે તમામ આરોપીઓની ઓળખ થઈ ગઈ છે અને શિવરાજસિંહ ચૌહાણે કહેલ કે આરોપીઓ ઉપર કઠોર કાર્યવાહી કરવામાં આવશે : શહીદ પોલીસ કર્મચારીઓના કુટુંબીજનોને ૧-૧ કરોડ રૂા.ની સહાયતા આપવાની જાહેરાત થઈ છેઃ તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ સરકારી સન્માન સાથે થશે અને તેમાં પ્રભારી મંત્રી સરકાર વતી સામેલ થશે
(1:29 pm IST)