મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

સગીરાની તેના જન્મ દિવસ પહેલાં જ કૂહાડીથી ક્રૂર હત્યા

સગીરાના પિતાએ ઠપકો આપતા શખ્સનું ક્રૂર પગલું : સગીર છોકરી ૧૧માં ધોરણની વિદ્યાર્થીની હતી, ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી, યુવકની ધરપકડ

નવી દિલ્હી, તા.૧૪ : દિલ્હીના સાઉથ કેમ્પસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. સગીરાની હત્યાના આરોપી પ્રદીપ ઉર્ફે પ્રવીણે તેની હત્યા કરવાના હેતુથી ગયા મહિને કુહાડી ખરીદી હતી. કુહાડી તેણે આર.કે. પુરમ સેક્ટર -૧માં પાટા પર લોખંડના કામદારો પાસેથી ખરીદી હતી. પોલીસે જણાવ્યું છે કે સગીરાના પિતાએ દીકરી સાથે બળજબરીથી મિત્રતા કરવા અને તેને રોકવા બદલ આરોપીને ઠપકો આપ્યો હતો. તેમ છતાંય ના માનતા પિતાએ એક વાર લાફો પણ માર્યો હતો.

ત્યારબાદ આરોપીએ સગીરાને ધમકી આપી હતી કે તે તેના જન્મદિવસ પહેલા તેની હત્યા કરી નાખશે. મંગળવારે સગીરનો જન્મદિવસ હતો. આના એક દિવસ પહેલા સોમવારે તેણે સગીરા પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. સગીર છોકરી ૧૧માં ધોરણની વિદ્યાર્થીની હતી. એવું કહેવાઈ રહ્યું છે કે ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. મંગળવારે જન્મદિવસના દિને છોકરીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે, સાઉથ કેમ્પસ શાસ્ત્રી પાર્ક વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં રહેતો આરોપી પ્રદીપે પ્લાન બનાવીને સગીરની હત્યા કરી હતી. તેણે સગીરાને મારવાનો ઇરાદો પહેલેથી કરી લીધો હતો. ઘટનાને અંજામ આપવા માટે તેણે પહેલાથી કુહાડી પણ લઈ રાખી હતી. પોલીસે જણાવ્યું હતું કે તપાસમાં પણ બહાર આવ્યું છે કે આરોપી છેલ્લા કેટલાક મહિનાથી સગારાનો પીછો કરી રહ્યો હતો.

જો કે, અંગે સગીરાના પરિવાર દ્વારા ક્યારેય દક્ષિણ કેમ્પસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે થોડા સમય પહેલા આરોપી દારૂ પીધા બાદ રાત્રે સગીરાના ઘરે પહોંચ્યો હતો. ત્યાં જબરદસ્તીથી તે ઘરનો દરવાજો ખોલવા માંગતો હતો. દરમિયાન જોરદાર હંગામો પણ થયો હતો. કેસમાં આરોપીએ સગીરાનો પીછો કર્યો ત્યારે યુવતીના પિતાએ એકવાર તેને લાફો પણ માર્યો હતો. જેથી બદલો લેવા તેણે સગીરાને મારી નાખવાની યોજના બનાવી હતી.

૧૬ વર્ષની મૃતક છોકરીના પિતાએ આરોપી પ્રવીણ વિશે જણાવ્યું કે, વિચાર્યું હતું કે, માની જશે...પરંતુ તે ના માન્યો અને અંતે તેણે તેમની દીકરીને મારી નાખી.' પ્રાપ્ત અહેવાલો મુજબ સોમવારે બપોરના સમયે પ્રવીણે તેમની દીકરી પર કુહાડી વડે હુમલો કર્યો હતો. જેથી ગંભીર રીતે ઘવાયેલી છોકરીને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. જ્યાં બર્થ-ડેના દિવસે તેને દમ તોડતા પરિવારમાં માતમ ફેલાઈ ગયો છે.

રડતાં રડતાં મૃતક સગીરાના પિતાએ જણાવ્યું કે આજે તેમની પુત્રીનો જન્મદિવસ પણ છે અને આજે તેનું અવસાન થયું છે. શું કરવું, મને કશું સમજાતું નથી. જો આજે તેની પુત્રી જીવિત હોત, તો ઘરમાં ખુશીનો માહોલ હોત પરંતુ હવે માતાપિતા અને નાના ભાઈ-બહેનોની હાલત ખરાબ છે. મૃતકના નાના ભાઈઓ અને બહેનો પણ તેમની બહેનને યાદ કરીને રડી રહ્યા છે.

પિતાએ જણાવ્યું કે, ચાર ભાઈ-બહેનોમાં તે સૌથી મોટી હતી. તે ખૂબ હોશિયાર હતી. અભ્યાસની સાથે સાથે તે તેની વેજિટેબલ અને ઈલેક્ટિકની દુકાન પણ સંભાળતી હતી. કારણ કે ઘરમાં આવક ઓછી હતી. જેથી તેમની મોટી પુત્રી સિવાય નાના બાળકોએ પણ તેમને કામમાં ખૂબ સહકાર આપતા હતા. તે તેના નાના ભાઈ-બહેનને પણ ભણાવતી હતી. અમે તેના જન્મદિવસની તૈયારી કરી લીધી હતી. પરંતુ ખબર નહોતી કે, જન્મદિવસ પર તેનું મોત થશે.

તેમણે જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન ધંધો ધીમો પડી ગયા પછી તેમને એક દૂતાવાસમાં નોકરી પણ મળી હતી. સાઉથ કેમ્પસ પોલીસ સ્ટેશન વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં રહેતા મૃતક સગીરાના પિતાએ જણાવ્યું હતું કે સોમવારે બપોરે જ્યારે તેની પુત્રી પર કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો હતો તે સમયે તેઓ ફરજ પર હતા. તેમને ત્યાં વિશે જાણવા મળ્યું હતું. તેમણે આરોપીને અગાઉ સમજાવ્યો પણ હતો. વિચાર્યું હતું કે, બાળક છે, સમજી જશે. પરંતુ તે ના માન્યો અને અંતે તેણે તેની પુત્રીનો જીવ લઈ લીધો. મૂળ બિહારના મધુબાનીમાં રહેતા પિતાએ જણાવ્યું કે તે લગભગ ૩૫ વર્ષ પહેલાં તેઓ દિલ્હી આવ્યા હતા. અહીં સખત મહેનત અને કામ કરીને તેઓ પરિવાનું ગુજરાન ચલાવે છે. દરમિયાન તેમની સાથે ઘટના બની. પરિવારે જણાવ્યું હતું કે એકવાર આરોપી રાત્રે દારૂ પીધા બાદ તેમના ઘરે આવ્યો હતો. અહીં તેને ખૂબ હંગામો કર્યો હતો. પરિવારે વધુમાં જણાવ્યું હતું કે, મંગળવારે તેમની પુત્રીના મૃત્યુ બાદ મૃતદેહનું પોસ્ટમોર્ટમ થઈ શક્યું નથી. ડોક્ટર અને પોલીસે જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ જલદી કરવામાં આવશે.

(7:46 pm IST)