મુખ્ય સમાચાર
News of Thursday, 14th October 2021

જમ્મુ કાશ્મીરમાં ૩૬ કલાકમાં ૯ આતંકીઓ ઠાર મરાયા : ટોચનો આતંકી કમાન્ડર શૌફીને ફૂંકી મારવામાં આવ્યો : લઘુમતીઓના ટાર્ગેટ સાથે કાશ્મીરમાં સંખ્યાબંધ આતંકીઓ ઘુસી ગયા

જમ્મુ : કાશ્મીરમાં સુરક્ષાદળો આતંકવાદીઓ ઉપર તોફાનની જેમ તૂટી પડ્યા છે : આજે જૈશ-એ-મહોમ્મદના ટોચના આતંકી કમાન્ડર શોફીને ઠાર માર્યો છે : આ સાથે છેલ્લા ૩૬ કલાકમાં ૯ આતંકીઓને સુરક્ષાદળોએ ફૂકી માર્યા છે. આ મહિનામાં ૧૨ આતંકીને ઠાર કરવામાં આવ્યા તેમાંથી ૯ ત્રાસવાદીઓને માત્ર ૩૬ કલાકમાં ઠાર કરાયા છે. અવંતીપોરા, ત્રાલના તીલવાની વિસ્તારમાં એક મૂઠભેડમાં આતંકી કમાન્ડર સમીમ ઉર્ફે શામ સોફીને ઠાર માર્યો છે. રાજૌરી અને પૂંછમાં લશ્કર અને પોલીસ દ્વારા આતંકવાદીઓ વિરૂદ્ધ તલાસી અભિયાન સતત ચાલુ છે. દરમિયાન કાશ્મીરમાં લઘુમતીઓની હત્યાના ટાર્ગેટ સાથે અનેક પાકિસ્તાની આતંકીઓ ઘુસી ગયાનું મનાય છે. પાકિસ્તાન દ્વારા રાજૌરી અને પૂંછના રસ્તે ૨૦ થી ૨૫ આતંકીઓને કાશ્મીરમાં ઘુસાડી દેવાયા છે. જેને મુસ્લિમ વિસ્તારોમાં રહેતા લઘુમતીઓને ટાર્ગેટ કરવાનું લક્ષ્ય આપવામાં આવ્યુ છે

(11:25 am IST)