CDS રાવત હેલિકોપ્ટર દુર્ઘટનામાં કાવતરું નહોતું :અચાનક ખરાબ હવામાનને કારણે દુર્ઘટના:કોર્ટ ઓફ ઈન્ક્વાયરી બાદ IAFનું નિવેદન
અણધાર્યા હવામાન ફેરફારોને કારણે વાદળો પ્રવેશ્યા જેના કારણે પાઇલટની અવકાશી દિશાહિનતા થઈ
નવી દિલ્હી : દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશને લઈને મોટા સમાચાર આવ્યા છે. ભારતીય વાયુસેનાએ કહ્યું છે કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ટ્રાઇ-સર્વિસ કોર્ટ ઓફ ઇન્ક્વાયરીએ તેના પ્રારંભિક તારણો રજૂ કર્યા છે. ઈન્ડિયન એર ફોર્સ (IAF) અનુસાર, કોર્ટ ઓફ ઈન્ક્વાયરીએ હેલિકોપ્ટર દુર્ઘટનાના કારણો તરીકે યાંત્રિક નિષ્ફળતા, તોડફોડ અથવા બેદરકારી જેવા મુદાને નકાર્યા છે,
. IAF એ જણાવ્યું હતું કે 8 ડિસેમ્બર, 2021 ના રોજ હેલિકોપ્ટર ક્રેશ મામલે અણધાર્યા હવામાન ફેરફારોને કારણે વાદળો પ્રવેશ્યા હતા, જેના કારણે પાઇલટ અવકાશી દિશાહિન થઈ ગયા હતા. ભારતીય વાયુસેના (IAF) એ તેના Mi-17v5 હેલિકોપ્ટરના દુર્ઘટનાના તથ્યોની તપાસ કરવા માટે ટ્રાઇ-સર્વિસ કોર્ટ ઑફ ઇન્ક્વાયરીની સ્થાપના કરી છે, જેણે તેના પ્રારંભિક તારણો રજૂ કર્યા હતા
. તપાસ ટીમે અકસ્માતનું સંભવિત કારણ જાણવા માટે ઉપલબ્ધ તમામ સાક્ષીઓની પૂછપરછ ઉપરાંત ફ્લાઈટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઈસ રેકોર્ડરનું વિશ્લેષણ કર્યું છે. કોર્ટ ઓફ ઈન્કવાયરીએ યાંત્રિક નિષ્ફળતા, તોડફોડ અથવા બેદરકારીને અકસ્માતનું કારણ ગણાવ્યું નથી, તપાસ ટીમે જણાવ્યું હતું કે હેલિકોપ્ટર ક્રેશ હવામાનની સ્થિતિમાં અણધાર્યા ફેરફારને કારણે થયું હતું. પાયલોટની અવકાશી દિશાહિનતા હતી જેના પરિણામે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. તેના તારણોના આધારે, કોર્ટ ઓફ ઈન્ક્વાયરીએ કેટલીક ભલામણો કરી છે જે સમીક્ષા હેઠળ છે. CDS બિપિન રાવત હેલિકોપ્ટર દુર્ઘટના પર નિવેદન જારી કરતા ભારતીય વાયુસેનાએ કહ્યું કે અચાનક ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના થઈ, ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું. IAF એ CDS જનરલ બિપિન રાવત હેલિકોપ્ટર દુર્ઘટનામાં ષડયંત્રનો ઇનકાર કર્યો છે. હેલિકોપ્ટર દુર્ઘટના અંગે તપાસ સમિતિએ પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 8 ડિસેમ્બર 2021ના રોજ, તમિલનાડુના કુન્નુર પાસે IAF Mi-17 V-5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત અને અન્ય 13 લોકોના મોત થયા હતા.