મુખ્ય સમાચાર
News of Saturday, 15th January 2022

ભારતીય સેના બહાદુરી-કુશળતા માટે વિખ્‍યાતઃ દેશની સુરક્ષામાં તેમનું યોગદાન શબ્‍દોમાં ના વર્ણવી શકાયઃ નરેન્‍દ્રભાઇ

આજે સેના દિવસઃ વડાપ્રધાને ટવીટ કરી શુભેચ્‍છા પાઠવી

નવી દિલ્‍હીઃ તા.૧૫: ભારતમાં આજે ૧૫ જાન્‍યુઆરીને સેના દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ ખાસ અવસરે નરેન્‍દ્રભાઇએ ભારતીય જવાનોને શુભેચ્‍છા પાઠવતા ટવીટ કરી જણાવેલ કે, આપણા  વિર જવાનો, પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનોને સેના દિવસની હાર્દિક શુભકામનાઓ ભારતીય સેના પોતાની બહાદુરી અને કુશળતા માટે ઓળખાય છે. ભારતની સુરક્ષામાં તેમનું આ બહુમુલ્‍ય યોગદાન શબ્‍દોમાં વર્ણવી ન શકાય. સેનાના જવાનો અઘરી પરિસ્‍થિતીઓમાં પણ ડગતા નથી અને નાગરીકોની મદદ માટે હમેંશા આગળ રહે છે, પછી તો પ્રાકૃતિક આપદા હોય કે કોઇ માનવીય સમસ્‍યા ભારત તેમના યોગદાન ઉપર હમેંશા ગર્વ કરતુ રહેશે.

 

(2:53 pm IST)