મુખ્ય સમાચાર
News of Monday, 15th February 2021

મિકસોપથીનો વિરોધ કરશે ઇન્ડીયન મેડીકલ એસોસીએશન

આયુર્વેદિક ડોકટરોને સામાન્ય સર્જરીની પરવાનગી આપતા કાયદાનો વિરોધ

નવી દિલ્હી, તા. ૧પ : આયુર્વેદિક ડોકટરોને સામાન્ય સર્જરીની પરવાનગી આપતી અધિસુચના વિરૂધ્ધ ઇન્ડીયન મેડીકલ એકસોસીએશન મોરચો ખોલી દીધો છે. એસોસીએશને મિકસોપથીનો વિરોધ કરવાનું અભિયાન વધારે તે જ કર્યુ છે. આઇએમએ દેશભરમાં ૧પ ફેબ્રુઆરીથી ૩૧ માર્ચ સુધી જનજાગરૂકતા અભિયાન ચલાવશે. સાથે જ આંદોલનની પણ જાહેરાત કરી છે.

આઇએમએ અનુસાર દેશના દરેક આઇએચએ સભ્ય, આધુનિક રહેલ આ અવૈજ્ઞાનિક ધાલમેલ અંગે જણાવશે. આઇએમએ દ્વારા અસહકાર આંદોલન શરૂ કરવાની પણ જાહેરાત કરાઇ છે. તેના હેઠળ સર્જન અને એનેસ્થેસીયો લોજીસ્ટ આયુષ સાથે જોડાયેલા લોકોને સર્જરીની ટ્રેનિંગ આપવામાં સહકાર નહીં આપે.

(11:36 am IST)