કોરોના વેકસીન તૈયાર કરવા માટે ૧૮ થી ૨૦ વેકસીન કંપનીઓ કામે લાગી: માર્ચથી ૫૦ વર્ષ ઉપરના લોકોને વેકસીન અપાવાની શરૂ થશે: હર્ષવર્ધન
નવી દિલ્હી :આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને કહ્યું છે કે કોરોના વેકસીન તૈયાર કરવા માટે ૧૮ થી ૨૦ વેકસીન કંપનીઓ કામે લાગી પડી છે અને તેઓ પરિક્ષણના વિભિન્ન તબક્કામાં પહોંચી છે.
સંવાદદાતાઓને સંબોધન કરતા તેમણે કહ્યું કે હવે પછીના બે-ત્રણ અઠવાડિયામાં એટલે કે માર્ચ મહિનામાં ૫૦ વર્ષથી વધુ વયના લોકોને કોરોના વેકસીન આપવાનું શરૂ કરવામાં આવશે.
હર્ષવર્ધને કહ્યું હતું કે 20 થી 25 દેશોને કોરોનાવાયરસ વેકસીન પૂરી પાડવામાં આવશે.
તેમણે તમામ અફવાઓને ફગાવી દેતાં કહ્યું હતું કે આ વેકસીન સુરક્ષિત અને પ્રભાવી છે. છેલ્લા સાત દિવસમાં દેશના 188 જિલ્લામાં કોરોનાનો એક પણ નવો કેસ સામે આવ્યો નથી. જ્યારે 21 જિલ્લામાં છેલ્લા ૨૧ દિવસથી કોઈપણ નવો કોરોના કેસ સામે આવેલો નથી. તેમણે લોકોને કોરોના સંબંધી યોગ્ય વ્યવહાર નું પાલન કરવા આગ્રહ કર્યો હતો.