મુખ્ય સમાચાર
News of Saturday, 15th May 2021

આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરની જિંદગી પર ફિલ્મ બનશે

મુંબઇ,તા. ૧૫ : આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરની જિંદગી પર ટૂંક સમયમાં જ એક ફિલ્મ બનવા જઇ રહી છે. આ ફિલ્મનું નામ ' ફી ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ગુરૂદેવ શ્રી રવિશંકર ' રાખવામાં આવ્યું છે. જેને શાનદાર રીતે બનાવવા માટે તૈયારીઓ ચાલી રહી છે. નોંધપાત્ર છે કે, આ ફિલ્મને દુનિયાના ૧૫૦ દેશોમાં કુલ ૨૧ ભાષાઓમાં રિલીઝ કરવા પ્લાનિંગ કરાયું છે. જો કે, હજી સુધીએ જણાવાયું નથી કે, આ ફિલ્મમાં શ્રી શ્રી રવિશંકરનું પાત્ર કયો એકટર ભજવશે.

આ ફિલ્મની સાથે સંકળાયેલા એક સોર્સે જણાવ્યું હતુ કે આ ફિલ્મમાં મુખ્ય પાત્ર માટે નવો ચહેરાને લેવો કે પછી કોઇ જાણીતા એકટરને કાસ્ટ કરવો એના વિશે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ ફિલ્મમાં શ્રી શ્રી રવિશંકરના જિંદગીના શરૂઆતના તબક્કાને બિગ સ્ક્રીન પર રજૂ કરવામાં આવશે. આ ફિલ્મમાં આધ્યાત્મક ગુરૂ બનવા અને પોતાના આધ્યાત્મિક કાર્યોથી દુનિયાભરના તમામ લોકોને પ્રભાવિત કરવાની કહાણીને પ્રાથમિકતા આપવામાં આવશે. આ ફિલ્મને મોન્ટૂ બસ્સી દ્વારા ડિરેકટ કરવામાં આવશે. તેમણે આ ફિલ્મ લખી પણ હતી.

(10:36 am IST)