મમતા બેનર્જીના ભાઇ આશિમ બેનર્જીનું નિધન
બંગાળમાં કોરોના સંક્રમણના પ્રકોપથી ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યું છેઃ દરરોજ રેકોર્ડ બ્રેક નવા કેસ નોંધાઇ રહ્યા છે અને ૧૦૦ થી વધુ સંક્રમિતોના મોત થઇ રહ્યા છે
કલકત્તા, તા.૧૫: પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નાના ભાઇ આશિમ બેનર્જીનું આજે નિધન થઇ ગયું છે. આશિમ કોરોના વાયરસથી સંક્રમિત હતા અને કલકત્તાના મેડિકા સુપરસ્પેશલિટી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. મેડિકા સુપરસ્પેશલિટી હોસ્પિટલના અધ્યક્ષ ડો. આલોક રોયએ આ જાણકારી આપી હતી.
બંગાળમાં કોરોના સંક્રમણના પ્રકોપથી ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યું છે. દરરોજ રેકોર્ડ બ્રેક નવા કેસ નોંધાઇ રહ્યા છે અને ૧૦૦ થી વધુ સંક્રમિતોના મોત થઇ રહ્યા છે.
પશ્વિમ બંગાળમાં ગઇકાલે સૌથી વધુ ૨૦,૮૪૬ નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમણના કુલ કેસ વધીને ૧૦,૯૪,૮૦૨ થઇ ગયા હતા. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર કોરોનાના કારણે ૧૩૬ લોકોના મોત થયા બાદ મૃતકોની સંખ્યા ૧૨,૯૯૩ થઇ ગઇ છે. જોકે રાજયમાં ગુરૂવારથી ૧૯,૧૩૧ લોકો સ્વસ્થ્ય થયા છે.