દેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.814 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.14.668 દર્દીઓ રિકવર થયા : વધુ 2708 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.77.037 થયો :એક્ટિવ કેસ ઘટીને 9.09.992 થયા : કુલ કેસની સંખ્યા 2.95.68.891 થઇ
સૌથી વધુ તામિલનાડુમાં 12.772 કેસ,મહારાષ્ટ્રમાં 8129 કેસ, કેરળમાં 7719 કેસ,કર્ણાટકમાં 6835 કેસ, આંધ્રપ્રદેશમાં 4549 કેસ,ઓરિસ્સામાં 4349 કેસ, પશ્ચિમ બંગાળમાં 3519 કેસ નોંધાયા
નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે આજે દેશમાં કોરોનાનાં નવા 58.814 કેસ નોંધાયા છે. જ્યારે 1.14.668 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.
દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 58.814 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 2708 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,77.037 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 1.14.668 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 2,95.68.891 થઇ છે એક્ટિવ સંખ્યા ઘટીને 9.09.992 થઇ છે છેલ્લા 24 કલાકમાં 1.14.668 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 2,82.70.216 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ તામિલનાડુમાં 12.772 કેસ,મહારાષ્ટ્રમાં 8129 કેસ, કેરળમાં 7719 કેસ,કર્ણાટકમાં 6835 કેસ, આંધ્રપ્રદેશમાં 4549 કેસ,ઓરિસ્સામાં 4349 કેસ, પશ્ચિમ બંગાળમાં 3519 કેસ નોંધાયા છે