મોહમ્મદ પયગંબર, જ્ઞાનવાપી સહિતના મુદ્દાઓની થશે ચર્ચા
આર.એસ.એ.ના ટોપ લીડરોની આવતા મહિને જયપુરમાં બેઠક
નવી દિલ્હી, તા. ૧પ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.) ના ટોચના નેતાઓની એક મીટીંગ આવતા મહિને જયપુરમાં યોજાશે. જેમાં નુપુર શર્માના મોહમ્મદ પયગંમ્બર વિષેના બયાન પછીના હિંસક વિરોધો અને જ્ઞાનવાપી મસ્જીદ સહિતનાં મુદ્દાઓની ચર્ચા થશે તેમ માહિતગાર વર્તુળ દ્વારા મંગળવારે જણાવાયું હતું.
પોતાનું નામ જાહેરના કરવાની શરતે સંઘના એક સુત્રએ કહ્યુ કે દેશમાં વિભીન્ન સમુદાયો વચ્ચે વધી રહેલી ખાઇ બાબતે સંઘ ચિંતીત છે અને તે આનો કોઇ કાયમી નિરાકરણ લાવવા ઇચ્છે છે.
આ મહિનાની શરૂઆતમાં નાગપુરમાં સ્વયંસેવકના ટ્રેનીંગ કેમ્પને સંબોધતા સંઘના વડા મોહન ભાગવતે જ્ઞાનવતી વિવાદના ઉકેલ માટે હિંદુ અને મુસ્લીમ પક્ષોને ટેબલ પર બેસીને આ મુદ્દાનું નિરાકરણ લાવવા સલાહ આપી હતી. તેમણે પ્રશ્ન પણ પુછયો હતો કે દરેક મસ્જીદમાં શિવલીંગ જ કેમ દેખાય છે ?