સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસઃ લોરેન્સ બિશ્નોઈને ૭ દિવસના રિમાન્ડ મંજુર
માનસા, તા.૧૫: પંજાબના માનસા કોર્ટમાં સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસના માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર લોરેન્સ બિશ્રોઈને ૭ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. આજે સવારે જ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ૪ વાગ્યે માનસા કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. પંજાબ પોલીસે સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડમાં ગેંગસ્ટર લોરેન્સ બિ‘ોઈને બુધવારે માનસા કોર્ટમાં મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની સામે હાજર કરવામાં આવ્યો હતો. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મંગળવારે પંજાબ પોલીસે ગેંગસ્ટર લોરેન્સ બિ‘ોઈની ધરપકડ કરવાની અનુમતિ આપ્યા બાદ તેને પંજાબ લઈ જવામાં આવ્યો હતો. પંજાબ પોલીસની ટ્રાન્ઝિટ એપ્લિકેશનને પણ મંજૂરી આપવામાં આવી હતી.
લોરેન્સ બિશ્નોઈ તરફથી હાજર રહેલા વકીલ વિશાલ ચોપરાએ પંજાબ પોલીસની અરજીનો વિરોધ કર્યો અને જણાવ્યું કે, તેની સુરક્ષાને જોખમ છે. લોરેન્સ બિશ્રોઈના વકીલે કહ્યું કે, અમે વર્ચ્યુઅલ પૂછપરછ અને તપાસનો વિરોધ નથી કરી રહ્યા. તેમણે કહ્યું કે, અમે પંજાબને તેની ફિઝિકલ ટ્રાન્ઝિટ રિમાન્ડનો વિરોધ કરી રહ્યા છીએ. પંજાબ પોલીસ આવશ્યકતા પડવા પર તેની આ મામલે ધરપકડ કરી શકે છે પરંતુ દિલ્હીમાં જ. પંજાબના માનસા જિલ્લાના જવાહર ગામમાં ૨૯ મેના રોજ સિદ્ધુ મૂસેવાલાની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટના પંજાબ પોલીસ દ્વારા ૪૨૪ અન્ય લોકોની સુરક્ષા પાછી ખેંચી લીધાના એક દિવસ બાદ બની હતી.
આ અગાઉ લોરેન્સ બિશ્રોઈને મંગળવારે દિલ્હીની કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે લોરેન્સ બિશ્રોઈને પંજાબ પોલીસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો. પંજાબના એડવોકેટ જનરલે કોર્ટમાં લોરેન્સ બિશ્રોઈના ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે અરજી દાખલ કરી હતી. કોર્ટમાં હાજર દિલ્હી પોલીસે પણ તેની કસ્ટડી માંગી હતી. ગોલ્ડીના તમામ જઘન્ય ગુનાઓમાં બિશ્નોઈ સામેલ હોવાનું જણાવી પોલીસે ટ્રાન્ઝિટ રિમાન્ડની માંગણી કરી હતી.