ભાજપના રાજ્યસભા સાંસદ સુશીલકુમાર મોદીએ ટ્વિટ કરી નિતિશ કુમારને નિશાને લીધા : લખ્યું – “નીતીશકુમાર કો પી.એમ. બનને કી અનંત ચાહ”
સુશીલજી, તમારા વકતવ્યોનું સ્તર ઉચ્ચત્તમ છે. સત્ય એ છે કે નીતીશજીને ક્યારેય પી.એમ. બનવાની ચાહ રહી નથી : લલ્લનસિંહનો જવાબ
પટના તા,15 : ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન તોડવાના જનતા દળના નિર્ણયથી બિહારમાં માત્ર રાજકીય સમીકરણ જ બદલાયા નથી, પરંતુ પટનાથી દિલ્હી સુધીના રાજકીય ગલિયારામાં પણ વધારો થયો છે. આ દરમિયાન ભાજપના રાજ્યસભા સાંસદ સુશીલકુમાર મોદી રોજ અલગ-અલગ રીતે જેડીયુ પર હુમલા કરી રહ્યા છે.
સુશીલકુમાર મોદીએ તાજેતરમાં ટ્વિટર પર 'વિડંબના બિહાર કી' શીર્ષક હેઠળ કવિતા લખી હતી. તેમાં તેમણે લખ્યું હતું કે-
નીતીશકુમાર કો પી.એમ. બનને કી અનંત ચાહ,
લલ્લનસિંહ કી આરપીસિંહ સે ડાહ-
પૈસે ઔર સત્તા કે લિયે લાલુ કી ભૂખ અથાહ.-
જનતા કી નહીં કોઈ પરવાહ,
દેર-સવેર જેલની પડેગી આહ.
જવાબમાં લલ્લનસિંહે લખ્યું કે, 'સુશીલજી, તમારા વકતવ્યોનું સ્તર ઉચ્ચત્તમ છે. સત્ય એ છે કે નીતીશજીને ક્યારેય પી.એમ. બનવાની ચાહ રહી નથી. ન તો મને આરપીસિંહ સામે કોઈ વાંધો છે, તમારું સ્તર તમારા ગ્રહ નક્ષત્રોને દુરસ્ત કરીને પુનઃસ્થાપિત કરી દેશે. મારી શુભકામનાઓ તમારી સાથે છે.