મંત્રી મંડળના વિસ્તરણ પહેલા કેટલાક અધિકારીઓની બદલી
નાણા વિભાગના એડીશ્નલ ચીફ સેક્રેટરી પંકજ જોશી ઉપરાંત અવંતિકા સિંઘ, ડો. એમ.ડી. મોડીયા, એન.એન. દવેની બદલી : મુખ્યમંત્રીના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીઃ અવંતિકા સિંઘ સીએમના નવા સેક્રેટરી બન્યા
ગાંધીનગર, તા. ૧૫ :. આજે રાજ્યના મંત્રી મંડળનું વિસ્તરણ થાય તે પૂર્વે જ કેટલાક ઉચ્ચ અધિકારીઓના બદલીઓના આદેશો બહાર પાડવામાં આવ્યા છે.
નાણા ખાતાના એડી. ચીફ સેક્રેટરી પંકજ જોશીને મુખ્યમંત્રીના એડીશ્નલ ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે અને મનોજકુમાર દાસની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત મેરી ટાઈમ બોર્ડના અવંતિકા સિંઘની પણ બદલી કરવામાં આવી છે અને તેમને મુખ્યમંત્રીના સચિવ તરીકે મુકવામા આવ્યા છે. જ્યારે અશ્વિનીકુમારની બદલી કરવામાં આવી છે. જ્યારે ભરૂચના કલેકટર ડો. એમ.ડી. મોડીયાની બદલી કરી તેમને મુખ્યમંત્રી કાર્યાલયમાં સ્પેશ્યલ ડયુટી ઓફિસર તરીકે નિમવામાં આવ્યા છે.
આ ઉપરાંત અમદાવાદના નાયબ મ્યુ. કમિશ્નર એમ.એમ. દવેની પણ બદલી કરી સચિવાલયમાં મુખ્યમંત્રીના સ્પેશ્યલ ડયુટી ઓફિસર તરીકે મુકવામાં આવ્યા છે.
પંકજ જોશી ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઈઝર કંપનીના એમ.ડી. તરીકેનો વધારાનો હવાલો પણ સંભાળશે. જ્યારે મનોજકુમાર દાસ પણ પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગના એડી. ચીફ સેક્રેટરી તરીકેનો વધારાનો ચાર્જ સંભાળશે.
પંકજ જોશી મુખ્યમંત્રીના નવા એડિશનલ ચીફ સેક્રેટરી બન્યા, મનોજકુમાર દાસાની જગ્યાએ આઈએએસ ઓફિસર અવંતિકા સિંઘ ઔલખ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નવા સેક્રેટરી બન્યા, હાલના અશ્વિનીકુમારની બદલી કરવામાં આવી : ડો. એમ ડી મોડીયાની નિમણૂક મુખ્યમંત્રીના ઓફિસર ઓન સ્પેશિયલ ડયૂટી તરીકે કે.એન.શાહની જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે : જ્યારે આઇએએસ ઓફિસર એન એન દવેને મુખ્યમંત્રીના ઓફિસર ઓન સ્પેશિયલ ડયૂટી તરીકે ડી એચ શાહની જગ્યાએ મૂકવામાં આવ્યા છે.