મુખ્ય સમાચાર
News of Saturday, 16th January 2021

જીતેગા ઇન્‍ડિયા - હારેગા કોરોના

દેશની બંને વેકસીન તમામ કસોટીમાં પાસ છે : લોકો અફવાથી દુર રહે

વડાપ્રધાન મોદીએ મહારસીકરણનો વીડિયો કોન્‍ફરન્‍સથી પ્રારંભ કરાવ્‍યો : વાયરસની રસીના બે ડોઝ લેવા જરૂરી છે : માસ્‍ક અને સોશ્‍યલ ડિસ્‍ટન્‍સના નિયમો પાળવા જ પડશે

નવી દિલ્‍હી તા. ૧૬ : દેશમાં કોરોનાના અંતનો હવે પ્રારંભ થયો છે. આજથી વિશ્વના સૌથી મોટા મહારસીકરણ પ્રારંભ થયો છે. વડાપ્રધાન મોદીએ ભારતના રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરાવીને દેશને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ સીરમ ઇન્‍સ્‍ટીટયૂટ દ્વારા વિકસીત ‘કોવિશીલ્‍ડ' અને ભારત બાયોટેક દ્વારા વિકસીત ‘કોવેકસીન' કે જે અત્‍યંત સુરક્ષિત છે. તમામ કસોટીમાંથી પાસ છે. લોકોને અફવાથી દુર રહેવા જણાવ્‍યું હતું. 

કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરતાં સમયે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી ભાવુક થઇ ગયા. વીડિયો કોન્‍ફરન્‍સિંગ દ્વારા દેશવાસીઓને સંબોધતા મોદીએ મહામારીના શરૂઆતના દિવસોના સંઘર્ષને યાદ કર્યા તો તેમની આંખો ભરાઇ આવી. ડુમો બાજી જતા સમયે એનો ઉલ્લેખ કરતાં રહ્યા જયારે ભારતના પાસે કોરોનાથી લડાઇનું મજબૂત ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર નહોતું. મોદીએ ડુમો ભરાવતા કહ્યું કે કોરોનાથી અમારી લડાઇ આત્‍મવિશ્વાસ અને આત્‍મનિર્ભરતાની રહી છે. તેમણે કહ્યું કે આ મુશ્‍કેલ લડાઇથી લડવા માટે આપણે આપણા પોતાના આત્‍મવિશ્વાસને નબળો પડવા દેશે નહીં, આ પ્રણ દરેક ભારતીયમાં દેખાયું.

હેલ્‍થ વર્કર્સને યાદ કરતાં પીએમ મોદીની આંખો ભરાઈ ગઈ હતી. તેમણે કહ્યું કે એવા પણ સેંકડો સાથીઓ છે કે જેઓ ક્‍યારેય ઘરે પાછા ફર્યા નથી તેમણે એક-એક જીવને બચાવવા માટે પોતાના જીવન આહટ કરી દીધી. આથી આજે કોરોનાની પ્રથમ રસી આરોગ્‍ય સેવા સાથે જોડયેલા લોકોને મૂકવાનો એક માર્ગ છે સમાજ તેનું દેવું ચૂકવી રહ્યું છે.

મને યાદ છે, એક દેશમાં જયારે ભારતીયોને ટેસ્‍ટ કરવા માટે મશીનો ઓછા પડી રહ્યા હતા ત્‍યારે ભારતે આખી લેબ મોકલી હતી જેથી ત્‍યાંથી આવતા લોકોને ટેસ્‍ટિંગમાં મુશ્‍કેલી ના પડે. ભારતે આ મહામારીથી જે રીતે મુકાબલો કર્યો તેને આખી દુનિયા લોહા માની રહ્યું છે. કેન્‍દ્ર અને રાજય સરકારો, સ્‍થાનિક સંસ્‍થાઓ, દરેક સરકારી સંસ્‍થાઓ, સામાજિક સંસ્‍થાઓ કેવી રીતે સાથે મળીને વધુ સારી રીતે કામ કરી શકે છે તેનું ઉદાહરણ પણ ભારતે દુનિયાની સામે મૂકયું.

વડાપ્રધાને રસીકરણ અભિયાન લોન્‍ચ કતાં વીતેલા દિવસોને યાદ કર્યા. તેમણે ડુમો ભરાયેલા અવાજમાં કહ્યું, ‘જનતા કફર્યુ, કોરોનાની વિરૂદ્ધ આપણા સમાજનો સંયમ અને અનુશાસનની પણ કસોટી હતી, જેમાં દરેક દેશવાસી સફળ થયા. જનતા કફર્યુએ દેશને મનોવૈજ્ઞાનિક રીતે લોકડાઉન માટે તૈયાર કર્યા. આપણે તાળી-થાળી અને દીવડા પ્રગટાવ્‍યા, દેશના આત્‍મવિશ્વાસને ઉંચો રાખ્‍યો. એવા સમયમાં જયારે કેટલાંક દેશો એ પોતાના નાગરિકોને ચીનમાં વધારતા કોરોનાની વચ્‍ચે છોડી દીધા હતા, જયારે ભારત, ચીનમાં ફસાયેલા દરેક ભારતીયોને પાછા લઇ આવ્‍યા. અને માત્ર ભારતના જ નહીં આપણે બીજા કેટલાંય દેશોના નાગરિકોને પણ ત્‍યાંથી પાછા નીકાળીને લાવ્‍યા.'

આપણા અનેક સાથીઓ પાછા જ ન ફર્યા : સંબોધન વખતે ભાવુક બન્‍યા PM

નવી દિલ્‍હી તા. ૧૬ : પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી લોકોને સંબોધિત કરવા સમયે ભાવુક થઈ ગયા. પીએમે કહ્યુ કે, કોરોના કાળમાં અમારા ઘણા સાથી એવા રહ્યા જે બીમાર થઈને હોસ્‍પિટલમાંથી પરત ન ફરી શક્‍યા. પીએમે કહ્યું કે, સંકટના આ સમયમાં, નિરાશાના તે વાતાવરણમાં, કોઈ આશાનો પણ સંચાર કરી રહ્યું હતું, આપણે બચાવવા માટે પોતાના પ્રાણોને સંકટમાં મુકી રહ્યા હતા. આ લોકો હતા આપણા ડોક્‍ટર, નર્સ, પેરામેડિકલ સ્‍ટાફ, એમ્‍બ્‍યુલન્‍સ ટ્રાઇવર, આશા વર્કર, સફાઈ કર્મચારી, પોલીસ અને બીજા ફ્રંટલાઇન વર્કર્સ. આપણા ઘણા સાથીઓ કોરોના થયા બાદ પરત ન આવ્‍યા તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરુ છું.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આ બીમારીએ લોકોને પોતાના ઘરથી દૂર રાખ્‍યા. માતાઓ બાળકો માટે રહી રહી હતી, પરંતુ તે પોતાના બાળકની પાસે ન થઈ જશે. લોકો હોસ્‍પિટલમાં દાખલ પોતાના ઘરના વૃદ્ધોને મળી શકે નહીં. આપણા ઘણા સાથે આ બીમારીથી દૂર ચાલ્‍યા ગયા. તેવા લોકોના આપણે અંતિમ સંસ્‍કાર પણ ન કરી શક્‍યા.

(3:25 pm IST)