મુખ્ય સમાચાર
News of Saturday, 16th January 2021

ડર કે આગે જીત હૈ...વેકસીન લગાવનાર લોકો શું કહે છે ? કેવો અનુભવ રહ્યો ??

નવી દિલ્હીઃ આજે દેશભરમાં મહારસીકરણનો પ્રારંભ થયો. વેકસીન પ્રારંભે લોકોમાં અનેક પ્રકારની આશંકાઓ હતી. આજે અનેક લોકોએ વેકસીન લીધી તેઓના અનુભવ કેવા રહ્યા ? તે અંગે લોકોમાં ભારે ઉત્સુકતા હતી. દિલ્હીમાં એઈમ્સના મનિષકુમાર નામના સફાઈ કર્મચારીએ રસી લગાવી. રસી લગાવ્યા બાદ અડધા કલાક સુધી તેમને કશુ ન થયું. તેઓ કહે છે કે મારો અનુભવ સારો રહ્યો. કોઈએ ગભરાવાની જરૂર નથી. મારો ડર હતો તે નિકળી ગયો. બધાએ વેકસીન લેવી જોઈએ. એઈમ્સના ડાયરેકટર ડો. ગુલેરીયા કહે છે કે વેકસીન ઘણી અસરકારક અને સુરક્ષિત છે. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં અક્ષતા ચોરગે નામની યુવતીએ રસી લીધી. આજે તેનો જન્મ દિવસ પણ છે. તેણીએ કહ્યુ કે મને બર્થ ડે ગીફટ મળી છે. મને કોઈ તકલીફ નથી. રાજસ્થાનના ભરતપુરમાં ૪ જગ્યાએ વેકસીનનુ કામ શરૂ થયુ. કેટલાક લોકોએ તે પછી હાઈબીપીની ફરીયાદ કરી હતી.

(3:54 pm IST)