મુખ્ય સમાચાર
News of Saturday, 16th January 2021

કોણ શ્રેષ્ઠ વહીવટકર્તા? નવા સર્વે આવ્યા

નવીન પટનાયક શ્રેષ્ઠ કામ કરનાર મુખ્યમંત્રી બાદમાં કેજરીવાલઃ ઉત્તરાખંડના CM સૌથી છેલ્લે

દેશના ટોપ-પ મુખ્યમંત્રીમાં ભાજપના એક પણ નહિ

નવી દિલ્હી, તા.૧૬: કાર્યક્ષમતાની દ્રષ્ટિએ ઓરિસાના મુખ્ય પ્રધાન નવીન પટનાઇક દેશના સૌથી શ્રેષ્ઠ મુખ્યમંત્રી હોવાનું એક સર્વેમાં જાહેર કરાયું છે. બીજા ક્રમે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું અને ત્રીજા ક્રમે આંધ્ર પ્રદેશના જગન મોહન રેડ્ડીનું નામ આવ્યું હતું. ભાજપ સાથેની અથડામણ અને હિંસક બનાવો છતાં પશ્ચિમ બંગાળના મમતા બેનર્જીમુખ્યમંત્રી તરીકેની પોતાની કામગીરીમાં ચોથા ક્રમે આવ્યા હતા. ટોપ ૫માં ભાજપના એક પણ મુખ્યમંત્રીનો સમાવેશ નથી. સરકાર વાહવાહી કરી રહી છે પણ લોકો તેમની કામગીરીથી સંતુષ્ટ નથી એમ આ સરવેનો રિપોર્ટ કહી રહ્યો છે.

અત્રે એ યાદ કરવા જેવું છે કે સૌથી લાંબા સમય સુધી મુખ્ય પ્રધાનપદે રહેવાનો વિક્રમ પણ ઓરિસાના નવીન પટનાઇકનો છે, પટનાઇકને સર્વેમાં આશરે ૭૯ ટકા (૭૮.૮૧) લોકોએ મત આપ્યો હતો. બીજી બાજુ ભાજપ શાસિત ઉત્ત્।રાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંદ્ય રાવતને માત્ર ૦.૪૧ ટકા મતો મળ્યા હતા. એટલે કે રાવત દેશમાં સૌથી ખરાબ વહીવટકર્તા છે એમ કહી શકાય. ગુજરાતની વાત કરીએ તો ૪૬.૭૪ ્રુ સાથે વિજય રૂપાણીને દસમો નંબર મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદીએ જયારથી પ્રધાનમંત્રી પદ સંભાળ્યું ત્યારથી ગુજરાતને નરેન્દ્ર મોદી જેટલા લોકપ્રિય નેતા મળ્યા નથી. ગુજરાત માટે આ એક ખુબ જ શરમજનક બાબત કહી શકાય છે.

આઇએએનએસ સી-વોટર સ્ટે ઓફ ધ નેશન-૨૦૨૧ સર્વેમાં આ પરિણામો પ્રગટ થયા હતા. ઓરિસામાં ૬૮.૫૭ ટકા લોકો પટનાઇકના કામથી ખુશ હતા. ૨૦ ટકા લોકો ઠીક ઠીક ખુશ હતા અને દસ ટકા લોકો નારાજ હતા. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મળેલા ૭૭ ટકા મતોમાં ૫૭ ટકા લોકો ખૂબ સંતુષ્ટ હતા, ૩૧ ટકા લોકો ઠીક ઠીક સંતુષ્ટ હતા અને ૧૧ ટકા લોકો નારાજ હતા.

વાઇએસઆર કોંગ્રેસ પાર્ટીના જગન મોહન રેડ્ડી આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે ત્રીજા ક્રમે

વાઇએસઆર કોંગ્રેસ પાર્ટીના જગન મોહન રેડ્ડી આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે ત્રીજા ક્રમે આવ્યા હતા. તેમને ૬૬.૮૩ ટકા મતો મળ્યા હતા. રાજયના માત્ર ૧૬ ટકા લોકો એમના કામથી નારાજ હતા. બાકીના બધા સંતુષ્ટ હતા. ભાજપ શાસિત ઉત્ત્।રાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંદ્ય રાવત છેક ૨૩જ્રાક્ન સ્થાન પર હતા. રાજયના માત્ર ૨૬ ટકા લોકો તેમના કામથી સંતુષ્ટ હતા. ૪૯ ટકા લોકોએ સ્પષ્ટ શબ્દોમાં રાવત માટે નારાજી અને નાખુશી વ્યકત કરી હતી. બાકીનાએ કહ્યું કે રાવત ઠીક છે. બીજા જે બે મુખ્ય પ્રધાનોને ખરાબનું રેંકિંગ મળ્યું છે એ બંને પંજાબ અને હરિયાણાના છે.

હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરના કામથી માત્ર ૨૩ ટકા લોકો ખુશ

અત્રે એ નોંધનીય છે કે દિલ્હીના સીમાડે છેલ્લા પચાસ દિવસથી આંદોલન કરી રહેલા મોટા ભાગના કહેવાતા ખેડૂતો પણ પંજાબ અને હરિયાણાના છે. હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરના કામથી માત્ર ૨૩ ટકા લોકો ખુશ હતા જયારે પંજાબમાં કેપ્ટન અમરીન્દર સિંદ્યના કામથી ૨૨ ટકા લોકો ખુશ હતા.

(3:59 pm IST)