News of Sunday, 16th May 2021
રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન આજે 29 મોત
સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે 34 પૈકી 8 કોવીડ ડેથ
રાજકોટ: શહેર - જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન છેલ્લા 24 કલાકમાં કોરોનાએ 29નો ભોગ લીધો છે .
આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા તા .15નાં સવારના ૮ વાગ્યા થી આજે તા.16સવારના ૮ વાગ્યા સુધીમાં એટલે કે છેલ્લા ૨૪ કલાકમાં શહેર - જીલ્લાના 29 દર્દીઓના મોત નિપજ્યા હતા .
ગઇકાલે 34 પૈકી 8 મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યું હતું.
શહેર અને જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે 2982 બેડ ઉપલબ્ધ છે.
(11:14 am IST)