દેશમાં કોરોના વિદાય ભણી :નવા 58.471 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.04.360 દર્દીઓ રિકવર થયા : વધુ 2501 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.79.563 થયો : એક્ટિવ કેસ ઘટીને 8.60.045 થયા : કુલ કેસની સંખ્યા 2.96.28.556 થઇ
સૌથી વધુ કેરળમાં 12.246 કેસ, તામિલનાડુમાં 11.805 કેસ,મહારાષ્ટ્રમાં 7652 કેસ, આંધ્રપ્રદેશમાં 5741 કેસ,કર્ણાટકમાં 5041 કેસ, ઓરિસ્સામાં 3405 કેસ, પશ્ચિમ બંગાળમાં 3268 કેસ નોંધાયા
નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે આજે દેશમાં કોરોનાનાં નવા 58.471 કેસ નોંધાયા છે. જ્યારે 1.04.360 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.
દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 58.471 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 2501 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,79.563 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 1.04.360 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 2,96.28.556 થઇ છે એક્ટિવ સંખ્યા ઘટીને 8.60.045 થઇ છે છેલ્લા 24 કલાકમાં 1.04.360 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 2,83.77.284 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 12.246 કેસ, તામિલનાડુમાં 11.805 કેસ,મહારાષ્ટ્રમાં 7652 કેસ, આંધ્રપ્રદેશમાં 5741 કેસ,કર્ણાટકમાં 5041 કેસ, ઓરિસ્સામાં 3405 કેસ, પશ્ચિમ બંગાળમાં 3268 કેસ નોંધાયા છે