News of Friday, 16th July 2021
પાકિસ્તાન સરકારે પ્રાચીન અને ઐતિહાસિક ગુરુદ્વારા ' શહીદ ભાઈ તારુ સિંહ ' સીલ કર્યું : સ્થાનિક શીખો અને દાવત એ ઇસ્લામી કાર્યકર્તાઓ વચ્ચેના જમીન વિવાદને ધ્યાને લઇ ગુરુદ્વારા સીલ કરી દીધું
ઇસ્લામાબાદ : પાકિસ્તાન સરકારે પ્રાચીન અને ઐતિહાસિક ગુરુદ્વારા ' શહીદ ભાઈ તારુ સિંહ ' સીલ કરી દીધું છે. જેના કારણમાં જાણવા મળ્યા મુજબ સ્થાનિક શીખો અને દાવત એ ઇસ્લામી કાર્યકર્તાઓ વચ્ચેના જમીન વિવાદને ધ્યાને લઇ ઉપરોક્ત નિર્ણય લીધો છે.
' શહીદ ભાઈ તારુ સિંહ ' ગુરુદ્વારા સીલ થઇ જવાથી પાકિસ્તાની શીખ સમુદાય આ વર્ષે શાહિદ ભાઈ તારું ની શહીદ દિનની ઉજવણી નજીકમાં આવેલા અન્ય ગુરુદ્વારા ' શહિદ ગંજ સિંહ સિંઘાનિયા ' ખાતે ઉજવવા મજબુર બનશે.
શુક્રવારે સ્થાનિક શીખો ' શહિદ ગંજ સિંહ સિંઘાનિયા ' ખાતે ' શહીદ ભાઈ તારુ સિંહ ' ની પુણ્યતિથિ ઉજવશે. જે નિમિત્તે અખંડ પાઠનું આયોજન કરાયું છે. તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.
(7:10 pm IST)