દેશમાં કોરોના ધીમો પડ્યો : નવા 37.627 કેસ નોંધાયા : વધુ 40.787 દર્દીઓ રિકવર થયા : વધુ 534 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.13.097 થયો :એક્ટીવ કેસ 4.20.987 થયા : કુલ કેસની સંખ્યા 3.10.63.505 થઇ
સૌથી વધુ કેરળમાં 13.750 કેસ, મહારાષ્ટ્ર્રમાં 7761 કેસ,આંધ્રપ્રદેશમાં 2345 કેસ, તામિલનાડુમાં 2312 કેસ, ઓરિસ્સામાં 2070 કેસ,આસામમાં 1782 કેસ, કર્ણાટકમાં 1806 કેસ નોંધાયા
નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે આજે દેશમાં કોરોનાનાં નવા 37.627 કેસ નોંધાયા છે. જ્યારે 40.787 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.
દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 37.627 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 534 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.13.097 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 37.627 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.10.63.505 થઇ છે એક્ટિવ સંખ્યા 4.20.987 થઇ છે છેલ્લા 24 કલાકમાં 40.787 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.02.17.101 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 13.750 કેસ, મહારાષ્ટ્ર્રમાં 7761 કેસ,આંધ્રપ્રદેશમાં 2345 કેસ, તામિલનાડુમાં 2312 કેસ, ઓરિસ્સામાં 2070 કેસ,આસામમાં 1782 કેસ, કર્ણાટકમાં 1806 કેસ નોંધાયા છે