News of Wednesday, 16th September 2020
રાજયસભામાં સરકારનું નિવેદન
સરહદે ૬ મહિનામાં કોઇ ઘુસણખોરી નથી થઇ
સરકારના નિવેદન બાદ ગૃહમાં હંગામો મચી ગયો
નવી દિલ્હી તા. ૧૬ :.. રાજયસભાની કાર્યવાહી આજે સવારે ૯ વાગ્યે શરૂ થઇ હતી. ગૃહનાં પ્રારંભે જ સભ્યોએ ભારતીય સીમા પર ચીનની ઘુસણખોરીનો મામલો ઉઠાવ્યો હતો. જે અંગે ગૃહ મંત્રાલય તરફથી જણાવાયુ હતું કે, છેલ્લા ૬ મહિનામાં ભારત-ચીન સરહદે કોઇ ઘુસણખોરીની ઘટના બની નથી.
અત્યાર સુધીમાં સરકાર અનેક વખત કહી ચુકી છે કે, ચીન સતત સીમા પાર કરવા પ્રયાસ કરે છે પણ ગૃહ મંત્રલાયે રાજયસભામાં ૬ મહિનામાં કોઇ પણ ઘુસણખોરી નથી થઇ તેવું જાહેર કરતાં વિપક્ષે વાંધો ઉઠાવી જોરદાર હંગામો કર્યો હતો.
(11:13 am IST)