નીતીશકુમાર ફક્ત નામના મુખ્યામંત્રી હશે, ભાજપ તેને નીચોવીને ફેંકી દેશે : પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંતસિંહના ચાબખા
નવી દિલ્હી : પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંતા સિન્હાએ કહ્યુ છે કે, નીતિશ કુમાર ફક્ત નામના જ મુખ્યમંત્રી હશે. સિન્હાના જણાવ્યા અનુસાર બીજેપી પોતાના દોસ્ત અને દુશ્મનોને ત્યાં સુધી નિચોડે છે, જ્યાં સુધી તે અધમૂઆ ન થઈ જાય. સિન્હાએ એક ટ્વીટમાં જણાવ્યુ છે કે, નીતિશે એનડીએના ધારાસભ્ય દળના નેતા પસંદ થયા બાદ કહ્યુ હતું કે, તેઓ સીએમ બનવા નથી માગતા પણ સાથી પક્ષોએ આગ્રહ કર્યો એટલે તેઓ તૈયાર થયા. નીતિશે કહ્યુ હતું કે, ભાજપનો સીએમ બનવો જોઈએ, કારણ કે, તેમને વધારે સીટો આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બિહારમાં નવી સરકારના આજે સાંજે 4 કલાકે શપથગ્રહણ થઈ ગયા. રવિવારે રાજ્યપાલ સાથે મળીને જેડીયુના અધ્યક્ષે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. આ અગાઉ મુખ્યમંત્રી નિવાસ પર એનડીએની સંયુક્ત બેઠક મળી હતી, જેમાં સર્વસંમ્મતિ સાથે ગઠબંધનના ધારાસભ્ય દળના નેતા તરીકે નીતિશ કુમારની પસંદગી કરવામાં આવી હતી. જ્યાં રાજનાથ સિંહની હાજરમાં આ આખો કાર્યક્રમ યોજાયો હતો