મુખ્ય સમાચાર
News of Sunday, 17th January 2021

કોરોના વેકસીન લીધા પછી કોલકત્તા ખાતે બેભાન બની ગયેલી નર્સની હાલત સ્ટેબલ: દમથી પીડાય છે

કોરોના વેકસીન લીધા પછી કોલકત્તા ખાતે બેભાન બની ગયેલી નર્સ ની હાલત સ્ટેબલ હોવાનું જાણવા મળે છે. મેડિકલ બોર્ડ અત્યારે આ નર્સ બેભાન શા માટે બની તેના કારણોની શોધ કરી રહેલ છે. ૧૬ જાન્યુઆરીએ દેશભરમાં કોરોના રસીકરણનો પ્રારંભ થયો હતો ત્યારે કોલકત્તા ખાતે એક ૩૫ વર્ષની નર્સે કોરોના વેકસીન લીધા પછી બેભાન બની ગઈ હતી. જો કે તેની સઘન સારવાર ચાલુ છે અને તેની સ્થિતિ હવે સ્ટેબલ હોવાનું જણાવાય છે. કારણો અંગે તપાસ ચાલી રહી છે. આ નર્સને દમનો રોગ હોવાનું અને અનેક બાબતોથી એલર્જીક હોવાનું પણ કહેવાય છે.

(8:48 pm IST)