મુખ્ય સમાચાર
News of Wednesday, 17th February 2021

હવે મોંઘા થશે મોબાઇલ રીચાર્જ પ્લાન : કંપનીઓ વધારશે ટેરિફ

દેશના કરોડો ફોન યુઝર્સ માટે માઠાસમાચાર

નવી દિલ્હી તા. ૧૭ : દેશમાં કરોડો ફોન યૂઝર્સ માટે ખરાબ સમાચાર આવી રહ્યાં છે. જલદી ટેલિકોમ કંપનીઓ પોતાના રિચાર્જ પ્લાન્સની કિંમતમાં વધારો કરવા જઈ રહી છે. જીયો આવ્યા બાદથી યૂઝર્સ માટે ખુશી રહી છે, કારણ કે અત્યાર સુધી તો ડેટા અને ફોન પર વાત કરવાનો ચાર્જ કેટલો વધી ગયો હોત, પરંતુ જીયો આવ્યા બાદથી ભાવ વધવાની જગ્યાએ ઘટ્યા છે.

હવે આ ખુશી જલદી સમાપ્ત થવાની છે, કારણકે હવે યૂઝર્સને ડેટા અને વોયસ કોલિંગ માટે પહેલાથી વધુ રકમ ચુકવવી પડશે. માનવામાં આવી રહ્યું છે કે નેટવર્ક પ્રોવાઇડર કંપનીઓ હવે મોબાઇલ ટેરિફની કિંમત વધારવાની છે. જાણવા મળી રહ્યું છે કે આગામી નાણાકીય વર્ષ એટલે કે ૧ એપ્રિલથી ૨૦૨૧-૨૨ માં નેટવર્ક પ્રોવાઇડર કંપનીઓ પોતાના આવકનો ગ્રોથ વધારવા માટે કિંમત વધારવાનો નિર્ણય કરી શકે છે. પાછલા વર્ષે કેટલાક નેટવર્ક પ્રોવાઇડર કંપનીઓએ પોતાના ટેરિફ દરમાં વધારો કર્યો હતો.

વાત એ છે કે માર્કેટમાં પોતાની સ્થિતિ જાળવી રાખવા માટે નેટવર્ક પ્રોવાઇડર કંપનીઓ માટે એવરેજ રેવેન્યૂનું રહેવું જરૂરી છે. આમ તો માર્કેટમાં કંપનીઓની પાસે અનેક ગ્રાહક છે, પરંતુ જરૂરીયાત પ્રમાણે એવરેજ રેવેન્યૂ પર કસ્ટમર ઓછા છે. તેને જોતા બધી કંપનીઓ રિચાર્જ પ્લાન્સમાં વધારો કરી શકે છે. હવે ગ્રાહકોના ૨ઞ્ થી ૪ઞ્માં અપગ્રેડ થયા બાદ એવરેજ રેવેન્યૂ પર યૂઝરમાં સુધાર થશે જો કે લગભગ ૨૨૦ રૂપિયા હશે.

જાણવા મળી રહ્યું છે કે આવનારા બે વર્ષો ઈન્ડસ્ટ્રીઝની આવક ૧૧થી ૧૩ ટકા અને નાણાકીય વર્ષમાં તે લગભગ ૩૮ ટકા વધુ હશે. દેશમાં કોરોના વાયરસ મહામારીને કારણે બધી ઈન્ડસ્ટ્રીઝ પર અસર થઈ, પરંતુ ટેલિકોમ ઈન્ડસ્ટ્રી પર ખાસ અસર થઈ નહીં. લોકડાઉન દરમિયાન પણ વર્ક ફ્રોમ હોમ, ઓનલાઇન કલાસ, વીડિયો સ્ટ્રિમિંગ વગેરેને કારણે ડેટાનો વધુ ઉપયોગ થયો છે.

(3:01 pm IST)