દેશમાં કોરોના ધીમો પડ્યો : નવા 3 લાખથી ઓછા કેસ : રેકોર્ડબ્રેક દર્દીઓ રિકવર થયા : છેલ્લા 24 કલાકમાં નવા 2,79 લાખથી વધુ કેસ : વધુ 3,71 લાખથી વધુ દર્દીઓ સ્વસ્થ થયા : વધુ 4044 લોકોના મોત : મૃત્યઆંક 2,74 લાખને પાર : કુલ કેસનો આંક 2.50 કરોડ નજીક
સૌથી વધુ મહારાષ્ટ્રમાં 34389 કેસ, તામિલનાડુમાં 33,181 કેસ, કર્ણાટકમાં 31.531 કેસ, કેરળમાં 29704 કેસ, આંધ્રપ્રદેશમાં 24.171 કેસ, પશ્ચિમ બંગાળમાં 19,117 કેસ, ઉત્તર પ્રદેશમાં 10.505 કેસ, ઓરિસ્સામાં 11,732 કેસ, રાજસ્થાનમાં 10,290 કેસ નોંધાયા
નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની છે. દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો હોવા છતાં, મૃત્યુઆંક સતત વધી રહ્યો છે
દેશમાં કોરોનાનાં 3.79.363 લાખ વધુ કેસ નોંધાયા છે. જ્યારે રિકવર થયેલા કેસ પણ 3.71.080 લાખ નોંધાયા છે. જે બાદ હવે દેશમાં 2 કરોડથી વધુ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.
દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 2.79.363 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 4044 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2.74,363 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 2.79.363 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 2,49.62.605 થઇ છે એક્ટિવ સંખ્યા પણ 35,17,696એ પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 3,71.080 દર્દીઓ રિકવર કરાયા છે આ સાથે કુલ 2,11,60,301 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ સૌથી વધુ સૌથી વધુ મહારાષ્ટ્રમાં 34389 કેસ નોંધાયા છે જયારે તામિલનાડુમાં 33,181 કેસ,કર્ણાટકમાં 31.531 કેસ, કેરળમાં 29704 કેસ, આંધ્રપ્રદેશમાં 24.171 કેસ, પશ્ચિમ બંગાળમાં 19,117 કેસ ,ઉત્તર પ્રદેશમાં 10.505 કેસ, ઓરિસ્સામાં 11,732 કેસ, રાજસ્થાનમાં 10,290 કેસ છે